દેશના કરોડો લોકોને મળતી ફ્રી રાશન યોજનાને સપ્ટેમ્બર સુધી લંબાવી હતી, જો કે હવે તે પછી તેનો લાભ નહીં મળી શકે.કેમ કે જો આ સ્કીમ આગળ વધારવામાં આવશે તો સરકારી તિજોરી પર મોટો બોજ આવશે.
દેશના ગરીબો માટે માઠા સમાચાર
ફ્રી રાશન યોજના શઈ શકે છે બંધ
જો આ સ્કીમ આગળ લંબાવશે તો તિજોરી પર આવશે મોટો બોજ
દેશના કરોડો ગરીબ પરિવારને કોવિડ મહામારીના સમયથી મળી રહેલી ફ્રી રાશનની યોજના ટૂંક સમયમાં બંધ થઈ શકે છે. નાણામંત્રાલયના Expenditure Deoartmentએ ફ્રી રાશન સ્કીમને સપ્ટેમ્બર 2022થી આગળ વધારવા પર વાંધો ઉઠાવ્યો છે. સાથે જ મંત્રાલયે ટેક્સથી કોઈ રાહત આપવા માટે પણ યોગ્ય મત વ્યક્ત કર્યો છે. એક રિપોર્ટ અનુસાર, નાણામંત્રાલયનું કહેવુ છે કે, ફ્રી રાશન યોજનાને આગળ વધારવા અથવા ટેક્સમાં કોઈ રાહત આપવાથી સરકારની હાલત પર ખરાબ અસર થઈ શકે છે.
આટલું વધી શકે છે ફુલ સબ્સિડીનું બિલ
કેન્દ્ર સરકારે આ વર્ષે માર્ચમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને છ મહિના માટે એટલે કે, સપ્ટેમ્બર 2022 સુધી લંબાવી દીધી છે. સરકારે આ વર્ષે બજેટમાં ફુડ સબ્સિડી માટે 2.07 લાખ કરોડ રૂપિયાનો પ્રસ્તાવ કર્યો હતો. જે ફાયનાન્સિયલ ઈયર 2021-22ના 2.86 લાખ કરોડ રૂપિયા ઓછુ હતું. જો કે ફ્રી રાશનને સપ્ટેમ્બર સુધી લંબાવાથી ફુડ સબ્સિડીનું બિલ વધીને 2.87 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચવાનું અનુમાન છે. જો આ સ્કીમ વધુ છ મહિના લંબાવામાં આવશે, તો તેનાથી ફુડ સબ્સિડીનું બિલ 80 હજાર કરોડ રૂપિયાથી વધીને લગભગ 3.7 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે.
રાજકોષીય ખાધ રેકોર્ડ રહેવાનો અંદાજ
વધતી મોંઘવારીની વચ્ચે દેશનો રાજકીય નીતિ અને મૌદ્રિક નીતિની સાથે તાલમેલ બેસાડવા માટે અને વધતી સબ્સિડીના કારણે રાજકોષીય ખાધ નાણાકીય વર્ષ 2022-23માં જીડીપીના 102 ટકા રેકોર્ડ હાઈ સ્તર પર પહોંચી શકે છે. એક રિપોર્ટ અનુસાર, સરકારને રાજકીય ખાધ ઓછી કરવા માટે નીતિગત પગા ઉઠાવવાની ભલામણ કરી છે. રિપોર્ટ અનુસાર, ચાલૂ નાણાકીય વર્ષમાં કેન્દ્રનો ખાધ 6.7 ટકા અને રાજ્યોના 3.5 ટકા રહી શકે છે.