પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PMC) બેન્ક કૌભાંડમાં એક ચોંકવાનારો ખુલાસો સામે આવ્યો છે. બેન્કના ડિરેક્ટર પરમીત સોઢીએ દાવો કર્યો છે કે તેમણે ખુદ આ કૌભાંડના શિકાર બન્યા છે. સોઢી હાલ કનાડામાં રજા વિતાવી રહ્યા છે. અને પોલીસે તેમના વિરુદ્ધ હાલ લુક આઉટ નોટિસ જાહેર કરી છે.
પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PMC) બેન્ક કૌભાંડમાં એક ચોંકવાનારો ખુલાસો
પોલીસે બેન્ક ડિરેક્ટર વિરુદ્ધ હાલ લુક આઉટ નોટિસ જાહેર કરી છે
સોઢીએ પોતાની જામીન અરજીમાં દાવો કર્યો છે કે તેમણે 'હાલમાં જ બેન્કમાં પોતાના 10 લાખ રૂપિયા જમા કરાવ્યા છે, જેથી જાણવા મળે છે કે તેમને હાઉસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (HDIL) દ્વારા કરવામાં આવી રહેલી છેતરપિંડી વિશે કોઇ જાણકારી નહોતી.
શુક્રવારે સેશન કોર્ટમાં દાખલ આગોતરા જામીન અરજીમાં એમણે કહ્યું કે તેમની વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરી દેવાયું છે. તેથી તેમને આશંકા છે કે 28 ઓક્ટોબરે ભારત પરત ફરવા પર ધરપકડ કરવામાં આવી શકે છે.
આ મામલામાં આર્થિક ગૂના શાખા (EOW) અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરી ચુકી છે. અને 17 લોકો વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરી છે. જે લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમાંથી બેન્કના એમડી જોય થોમસ, પૂર્વ ચેરમેન વારયમ સિંહ, ડિરેક્ટર સુરજીત સિંહ અરોડા, એચડીઆઇએલના ડિરેક્ટર રાકેશ અને સારંગ વધાવન સામેલ છે.