પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના હેઠળ ઠેર ઠેર મળી શરુ કરાયા છે જનઔષધિ સેન્ટર. સસ્તા દરે મળી રહે છે દવાઓ અને સર્જિકલ સાધનો
PMBJP યોજના હેઠળ કરોડો રુપિયાની બચત
કેન્દ્ર સરકારે જાહેર કર્યો ડેટા
સસ્તા દરે મળી રહે છે
ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના અમલમાં મૂકવામાં આવી છે. જેનો ભરપૂર ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે. આ યોજના હેઠળ દેશના કોઇ પણ નાગરિકને સરકારી જન ઔષધિ સ્ટોરમાંથી સસ્તા દરે દવાઓ મળી રહે છે. જેમ જેમ આ સ્કીમ વિશે લોકોને ખબર પડે છે તેમ તેમ જન ઔષધિ સ્ટોરમાં દવાની ખરીદીમાં વધારો થઇ રહ્યો છે. સાથે જ લોકોને બચત પણ થઇ રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જન ઓષધિ પરિયોજનાથઈ થનારી બચત અંગે જાણકારી શેર કરી.
PMBJP યોજના હેઠળ 2021-2022માં 5360 કરોડની બચત
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને જણાવ્યું કે વર્ષ 2021-22માં દેશભરમાં પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના હેઠળ 5360 કરોડ રુપિયાની બચત કરી. જ્યારે વર્ષ 2019-202માં 2500 કરોડ અને 2020-2021માં 4 હજાર કરોડ રુપિયા બચત કરી હતી,.
औषधि बचत की।
PM @NarendraModi जी द्वारा चलाई गयी 'प्रधानमंत्री भारतीय जनऔषधि परियोजना' देश के आम व्यक्ति को सस्ती एवं उत्तम दवाई उपलब्ध करवाने का सबसे बड़ा माध्यम बन रही है।
पिछले वर्षों में जनऔषधि स्टोर के जरिए लोगों का दवाइयों के ऊपर खर्च कम हुआ है और बचत में वृद्धि हुई है। pic.twitter.com/q2rofx5ZfO
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) May 18, 2022
બજારની સરખામણીએ સસ્તા ભાવમાં મળે છે દવા
કેન્દ્ર સરકાર જનતાની સેવા માટે સસ્તા દરે દવાઓનું વેચાણ કરી રહી છે. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજનાની વેબસાઇટ પરથી મળતી જાણકારી મુજબ આ સ્કીમમાં જન ઔષધિ કેન્દ્રો પર 1616 પ્રકારની દવાઓ અને 250 સર્જિકલ સાધનો ઉપલબ્ધ છે. જેની કિંમત બજાર કરતા ઘણી જ ઓછી છે. દેશભરમાં સરકારની પરિયોજના કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના અધિકારમાં ચલાવવામાં આવે છે. PMBJP ની વેબસાઇટ પર મળતી માહિતી મુજબ આ પરિયોજનાની શરુઆત કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રાલય દ્વારા 2008માં ડિસેમ્બર મહિનામાં કરવામાં આવી હતી.