જન ઓષધિ કેન્દ્રની કમાણીની વાત કરીએ તો અહીં દવાઓના વેચાણ પર તમને 20 ટકાનું કમિશન મેળવી શકો છો. આ સિવાય તમે દર મહિને થયેલા વેચાણ પર 15 ટકા સુધીનું ઇન્સેન્ટિવ મળે છે.
ખોલી લો જન ઔષધિ કેન્દ્ર
રોજ હજારો રૂપિયાની કમાણી થશે
જાણો સ્કીમ સાથેની ખાસ વાતોને
જો તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો તો તમારી સામે 2 સમસ્યા આવે છે. એક કયું કામ કરવું અને તમારી પાસે કેટલી જમા પૂંજી છે. પીએમ મોદીની તરફથી જન ઔષધિ કેન્દ્ર યોજના શરૂ કરાઈ છે. જેનો લાભ તમે લઈ શકો છો. આ યોજના શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર તમને 7 લાખ રૂપિયાની મદદ કરે છે. પીએમ મોદીએ ગયા મહિને જ દેશના 7500મું જન ઔષધિ કેન્દ્ર સમર્પિત કર્યું છે. તેઓએ કહ્યું કે સરકારનું લક્ષ્ય દર વર્ષે જન ઔષધિ કેન્દ્રની સંખ્યા 10 હજાર સુધી પહોંચાડવાનું છે. સાડા 8 મહિનામાં સરકાર 2500 જન ઔષધિ કેન્દ્ર ખોલવાની છે. શક્ય છે એક તમે પણ હોઈ શકો છો. તો જાણો શું છે પ્રોસેસ.
ઓછા રૂપિયામાં દવા પૂરી પાડે છે આ જન ઔષધિ કેન્દ્ર
જન ઔષધિ કેન્દ્ર સામાન્ય લોકોને ઓછી કિંમતે દવા પૂરી પાડવાને માટે શરૂ કરાયેલી યોજના છે. કેન્દ્ર સરકારે વર્ષ 2015માં તેને શરૂ કરી. આ સ્કીમથી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે લોકોને પ્રેરિત કરાય છે. તેના નિયમોમાં પહેલાથી થઓડા ફેરફાર કરાયા છે. આ માટે સરકાર તમને 5-7 લાખ રૂપિયાની મદદ કરે છે. જો તમે મહિલા છો અને નિઃશક્ત છો કે પછી અનુસૂચિત જાતિ કે જનજાતિની કેટેગરીમાં છો તો કેન્દ્ર તમને 7 લાખની મદદ આપે છે. પહેલા આ રકમ 2.5 લાખની હતી. અનેક ગામમાં તે પીએમ મોદીની શરૂઆત હોવાના કારણે તેને મોદીની દુકાન પણ કહેવાય છે.
કોરોના કાળમાં વધ્યું મહત્વ
વધાત કોરોના સંક્રમણના કારણે જન ઔષધિ કેન્દ્રનું મહત્વ વધ્યું છે. કોરોનાના લક્ષણ સામાન્ય શરદી, તાવ, ખાંસી અને ફ્લૂથી મળે છે. જરૂરી નથી કે લોકોને કોરોના હોય જ, બદલાતી સીઝનમાં તે સીઝનલ ફ્લૂ હોઈ શકે છે. આ બીમારીની સારવારમાં અનેક જેનરિક દવાઓ આવે છે જે જન ઔષધિ કેન્દ્ર પરથી મળી રહે છે.
20 ટકાનું મળે છે કમિશન
જન ઔષધિ કેન્દ્રની કમાણીની વાત કરીએ તો અહીં દવાના વેચાણ પર 20 ટકાનું કમિશન મળે છે. આ સિવાય દર મહિને થનારા વેચાણ પર 15 ટકાનું ઇન્સેન્ટિવ મળે છે. બંને મળીને જે રકમ બચશે તે તમારી કમાણી હશે. આ યોજનાના આધારે દુકાન ખોલવા માટે ફર્નિચરને માટે સરકારની તરફથી 1.5 લાખ રૂપિયાની મદદ મળએ છે. બિલિંગ માટે કમ્પ્યુટર અને પ્રિન્ટર જરૂરી છે. આ માટે પણ સરકાર 50 હજાર રૂપિયાની મદદ કરે છે.
કોણ કરી શકે છે અરજી
જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે 3 પ્રકારની કેટેગરી બનાવી છે. પહેલામાં કોઈ વ્યક્તિ, બેરોજગાર ફાર્માસિસ્ટ, ડોક્ટર, પંજીકૃત મેડિકલ પ્રેક્ટિશનર આવે છે. બીજી કેટેગરીમાં કોઈ ટ્રસ્ટી, એનજીઓ, પ્રાઈવેટ હોસ્પિટલ, સહાયતા સમૂહ પણ કેન્દ્ર ખોલી શકે છે. ત્રીજી કેટેગરીમાં રાજ્ય સરકારની તરફથી નોમિનેટ કરેલી એજન્સી આવે છે.
શું છે પ્રોસેસ
જન ઔષધિ કેન્દ્રના નામથી તમારે રિટેલ ડ્રગ સેલ્સનું લાયસન્સ લેવાનું રહેશે. અધિકૃત સાઈટ http://janaushadhi.gov.in/online_registration.aspx પર જઈને ફોર્મ ડાઉલોડ કરો. પહેલા આવેદન પર ફી નથી પણ આવેદન શુલ્કની રીતે 5000 રૂપિયા ભરવાના રહે છે. આ પછી અરજી સ્વીકૃત થયા બાદ જન ઔષધિ કેન્દ્ર ખોલી શકાય છે અને સારી કમાણી કરી શકાય છે.