પ્રધાનમંત્રી નરેદ્ર મોદી સુરતમાં યોજાનાર ન્યૂ ઈન્ડિયા સંકલ્પ મેરેથોન દોડને ફલેગ ઓફ કરાવશે. નાઈટ મેરેથોન દોડની પૂર્વ સંધ્યાએ સુરત શહેરને રોશનીથી સુશોભીત કરાયું હતું. જેનો લાહવો લેવા શહેરીજનો ઉમટયા હતા. જેના કારણે અડાજણ સરદાર બ્રિજ ગેટથી લઈને વી.આર.મોલ સુધી ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા.
પીએમ નરેદ્ર મોદી આજે એક દિવસીય સુરતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે પીએમ મોદી સુરત ખાતે રન ફોર ન્યૂ ઈન્ડિયા મેરેથોન દોડને ફ્લેગ ઓફ કરાવશે. આ પ્રસંગે સીએમ રૂપાણી અને સુરતના સાંસદ અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે ન્યૂ ઈન્ડિયાના સંકલ્પ અંતર્ગત દોડનું આયોજન કરાયું છે. જેમાં નોંધાયેલા અને નહિં નોંધાયેલા લગભગ 80 હજારથી વધુ નાગરિકો ભાગ લેશે. ન્યૂ ઈન્ડિયાનો સંકલ્પમાં સહભાગી બનશે.
બીજી બાજુ સુરતમાં યોજાનારા મેરેથોન દોડ પહેલા પોસ્ટર વોર શરૂ થયો છે. રન ફોર ન્યૂ ઈન્ડિયા અંતર્ગત યોજાનારી દોડ પહેલા શહેરભરમાં પોસ્ટર લાગ્યા છે. પોસ્ટરમાં નિરવ મોદી અને લલિત મોદીના ફોટાનો સમાવેશ કરી ઉલ્લેખ કરાયો છે કે નવાભારતમાં આ લોકો હશે. શહેરભરમાં પોસ્ટર થકી કટાક્ષ ઉભો કરાયો છે. જેને વિવાદનો મધપુડો છંછેડયો છે.