પ્રધાનમંત્રી મોદી 22થી 26 ઓગસ્ટના UAE, ફ્રાન્સ, બહરીનના પ્રવાસ પર જશે. પ્રધાનમંત્રી મોદી 22 ઓગસ્ટની સાંજે ફ્રાન્સ પહોચશે. પ્રધાનમંત્રી મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈકોના નિમંત્રણ પર ત્યાં જશે. 23 ઓગસ્ટે પ્રધાનમંત્રી મોદી યુનેસ્કો ભવનમાં ભારતીય સંગઠનને સંબોધિત કરશે.
22થી 26 ઓગસ્ટ સુધીનો પ્રવાસ
Ministry of External Affairs: Prime Minister Narendra Modi will be on bilateral visits to France, UAE, and Bahrain, he will also attend the G7 summit in Biarritz, France from 22nd to 26th August. pic.twitter.com/zJjppKUvxo
22 ઓગસ્ટની સાંજે ફાન્સ પહોંચશે પછી પ્રધાનમંત્રી મોદી 24 ઓગસ્ટે UAE અને બહરીનની યાત્રા પર રવાના થશે. PM મોદી ખાડીના દેશની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી હશે. પ્રધાનમંત્રી મોદી ફ્રાંસના યોજાનાર G-7 સમ્મેલનમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદી દ્વિ-પક્ષીય, ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મામલે ચર્ચા કરવા માટે અબૂ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે પણ મુલાકાત કરશે.
UAEના સર્વોચ્ય નાગરિક સન્માન અપાશે
પ્રધાનમંત્રી મોદીને UAE માં ત્યાંના સર્વોચ્ય નાગરિક સન્માન ઝાયદ મેડલથી સન્માનિત કરવામાં આવશે. આ સન્માનની જાહેર UAEએ એપ્રિલમાં કરી હતી. અને જણાવ્યુ હતું કે મોદિને બંને દેશો વચ્ચે લાંબી મૈત્રી અને સંયુક્ત રણનીતિક સહયોગને વધારવામાં તેમની ભૂમિકા માટે રાષ્ટ્રપતિ શેખ ખલિફા બિન ઝાયદ અલ નાહયાને આ સન્માનની જાહેરાત કરી હતી.
UAE અને ભારત વચ્ચે વેપારી સંબંધો વધુ ગાઢ બનશે
અત્યારે UAE અને ભારત વચ્ચે વેપારી સંબંધો ઘણા ગાઢ બન્યા છે. વેપારના ક્ષેત્રે UAE ભારતનો ત્રીજો સૌથી મોટો ભાગીદાર દેશ બની ગયો છે. બંને દેશો વચ્ચે લગભગ 60 અરબ ડોલરનો વાર્ષિક દ્વિ-પક્ષીય વેપાર થયો છે. આવામાં પ્રધાનમંત્રી મોદીનું UAE જવું, બંને દેશોના સંબંઘો વધુ દ્રઢ બનાવવામાં મદદગાર સાબિત થશે.