પ્રધાનમંત્રી મોદી 11 ડિસેમ્બરે દેશને ત્રણ રાષ્ટ્રીય કક્ષાની આયુષ સંસ્થાઓનું ઉદ્ધાટન કરવાના છે.
દેશને મળશે ત્રણ રાષ્ટ્રીય આયુષ સંસ્થાઓ
11 ડિસેમ્બરે પીએમ મોદી કરશે ઉદ્ધાટન
દિલ્હી, ગોવા અને ગાઝિયાબાદમાં ખુલશે
મોટી વસતી માટે સસ્તી આયુષ સેવાઓની સુવિધા પૂરી પાડશે
UG, PG અને ડોક્ટરલ કોર્ષમાં 400 વધારાની બેઠકો ઊભી કરશે
PM મોદી 11 ડિસેમ્બરે દેશને ત્રણ રાષ્ટ્રીય આયુષ સંસ્થાઓની ભેટ આપશે. કેન્દ્રીય આયુષ પ્રધાન સર્વાનંદ સોનોવાલે મંગળવારે કહ્યું હતું કે આ સંસ્થાઓ સંશોધન અને આંતરરાષ્ટ્રીય સહયોગને વધુ મજબૂત બનાવશે અને વિશાળ સમુદાય માટે સસ્તી આયુષ સેવાઓની સુવિધા પણ આપશે.
PM Narendra Modi will dedicate to the nation 3 National AYUSH Institutes - All India Institute of Ayurveda (AIIA), Goa, National Institute of Unani Medicine (NIUM), Ghaziabad and National Institute of Homeopathy (NIH), Delhi on December 11: Ministry of AYUSH
કઈ 3 નેશનલ આયુષ સંસ્થાનું ઉદ્ધાટન કરશે પીએમ
(1) ગોવા ખાતે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ
(2) ગાઝિયાબાદ ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુનાની મેડિસિન
(3) દિલ્હી ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી
શું લાભ મળશે 3 સંસ્થાઓથી
મીડિયાને સંબોધતા કેન્દ્રીય આયુષ મંત્રી સર્વાનંદ સોનોવાલે કહ્યું કે આ ત્રણ સંસ્થાઓ લોકોના સસ્તા દરે સારી આરોગ્ય સુવિધાઓ આપશે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથીએ હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિ વિકસાવી છે. ત્રણ સંસ્થાઓ આયુષ સ્વાસ્થ્ય સેવાઓને આધુનિક દવાઓ સાથે મુખ્ય પ્રવાહમાં લાવવા અને સંકલિત કરવા કામ કરશે.
PM मोदी 11 दिसंबर को गोवा में अखिल भारतीय आयुर्वेद संस्थान (AIA), गाजियाबाद में राष्ट्रीय यूनानी चिकित्सा संस्थान (NIUM) और दिल्ली में राष्ट्रीय होम्योपैथी संस्थान (NIH) का अनावरण करेंगे। इससे लोगों को स्वास्थ्य सेवाएं कम दामों में मिल पाएगी: केंद्रीय आयुष मंत्री सर्बानंद सोनोवाल pic.twitter.com/D85C3JLp4C
યુજી, પીજી અને ડોક્ટરલ કોર્સમાં 400 વધારાની બેઠકો
આ ત્રણ સંસ્થાઓ યુજી, પીજી અને ડોક્ટરલ કોર્સમાં વિદ્યાર્થીઓ માટે 400 વધારાની બેઠકો ઊભી કરશે અને તેમાં 550 વધારાના બેડ પણ ઉમેરવામાં આવશે. ગોવાની અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન (એઆઈઆઈએ) આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ મારફતે શિક્ષણ અને દર્દીની સારસંભાળની સેવાઓમાં યુજી, પીજી અને પોસ્ટ-ડોક્ટરલ પ્રવાહ માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત સુવિધાઓ પ્રદાન કરશે.