સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર PM મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે PM મોદીના બીજા કાર્યકાળમાં પ્રવેશ કર્યા બાદ આ પહેલી બેઠક છે. આ મિટીંગમાં અન્ય મોટા નિર્ણયો લેવાય તેવી આશા છે. રાજનાથસિંહ PM મોદીના નિવાસસ્થાને પહોંચ્યા છે અને બેઠકમાં સામેલ થશે. APMC એક્ટના સ્થાને નવા કાયદાને મંજૂરી મળી શકે છે તો MSMEના ટર્નઓવર, રોકાણ મર્યાદા વધારાને લઈને પણ મોટા નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
PM મોદીની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટ બેઠક
બેઠકમાં ઐતિહાસિક નિર્ણયોની આશાઃ સૂત્ર
બીજા કાર્યકાળમાં પ્રવેશ બાદની પહેલી બેઠક
આવી શકે છે આ મોટા ફેરફાર
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ બેઠકમાં APMC Actની જગ્યાએ નવા કાયદાને મંજૂરી આપી શકાય છે. આ નવા કાયદાઓને લાગુ કરવા માટેની દરખાસ્ત વટહુકમ દ્વારા રજૂ કરી શકાય છે. ખેડૂત જેને ઇચ્છે ત્યાં અનાજ વેચવાની પરવાનગી મેળવી શકે છે. તમને એક રાજ્યથી બીજા રાજ્યમાં અનાજ વેચવાની છૂટ પણ મળી શકે છે.
આ સિવાય Micro Small and Medium Enterprises Development Act, 2006 (MSMED Act)માં ફેરફારની દરખાસ્ત પણ સામેલ છે. MSMEDની વ્યાખ્યા બદલવાના પ્રસ્તાવને મુક્તિ અપેક્ષિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એમએસએમઇ માટે ટર્નઓવર અને રોકાણની મર્યાદામાં વધારો કરી શકાય છે.
દેશમાં આજથી અનલૉક 1ની શરૂઆત થઈ છે. જે 30 જૂન સુધી ચાલશે. સરકારે તેને લૉકડાઉનને બદલે અનલૉક 1 નામ આપ્યું છે, આ ફેઝમાં સરકારે કન્ટેનમેન્ટ ઝોનને છોડીને અન્ય જગ્યાએ મોલ અને રેસ્ટોરન્ટને ખોલવાની મંજૂરી પણ આપી છે. 8 જૂનથી મોલ અને રેસ્ટોરન્ટ ખૂલી શકશે. ગૃહમંત્રાલયે કન્ટેનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોને ફરીથી ખોલવા માટેના નિયમો જાહેર કર્યા છે.આ દિશા નિર્દેશ આજથી લાગૂ થશે અને સાથે 30 જૂન સુધી કાયમ રહેશે.