ગત દિવસોમાં કેન્દ્ર સરકારે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ એક સ્કીમ લોન્ચ કરી હતી. જે સ્કીમનું નામ પીએમ સ્વનિધિ યોજના રાખવામાં આવ્યું હતુ. આ યોજનાનો લાભ લેવા માટે અત્યાર સુધીમાં 1.50 લાખથી વધારે લોકોએ રસ દાખવ્યો છે. જાણો આ સ્કિમ શુ છે.
સ્વનિધિ યોજના રેકડી - લારી અથવા ખુમચા લગાવનારા માટે છે
સ્કીમ અંતર્ગત 10 હજારની સસ્તી લોન આપવામાં આવશે
અત્યાર સુધીમાં 1.54 લાખ અરજીઓમાંથી 48 હજાર લોકોની લોન મંજૂર
પીએમ સ્વનિધિ યોજના રેકડી - લારી અથવા ખુમચા લગાવનારા માટે છે. આ સ્કીમ અંતર્ગત 10 હજારની સસ્તી લોન આપવામાં આવશે.
રેકડી - લારી વાળાએ આ લોન એક વર્ષમાં માસિક હપ્તેથી ચુકવવાનું રહેશે. લોનનો હપ્તો સમયસર ચુકવનારા લોકોને વર્ષની 7 ટકા વ્યાજ સબસિડી મળશે.
સરકારે આ વ્યાજ સબસિડી લોન લેનારા વ્યક્તિના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે. સૌથી મહત્વની વાત એ છે કે સ્કીમ હેઠળ દંડની કોઈ જોગવાઈ નથી. આ લોન માટે કોઈ શરત નથી. આ એક સરળ શરતો સાથે મળનારી લોન છે.
કેન્દ્રીય આવાસ અથવા શહેરી બાબતોના મંત્રાલય મુજબ અત્યાર સુધીમાં 1.54 લાખ અરજીઓમાંથી 48 હજાર રેકડી - લારી વાળાની લોન મંજૂર કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ(પીએમ સ્વનિધિ) યોજનાની શરુઆત 1 જૂનથી કરવામાં આવી હતી.
સરકારના જણાવ્યાનુંસાર આ યોજનાનો લાભ રેકડી - લારી લગાવનારા 50 લાખ લોકોને મળશે. શહેરી વિસ્તાર, તેનાથી અંતરીયાળ વિસ્તાર, અને ગ્રામીણ જનો આનો લાભ લઈ શકે છે.