આ યોજના હેઠળ વ્યાપાર શરૂ કરવા માટે 10 હજાર રૂપિયાની લોન કોઈ પણ ગેરંટી વગર મળે છે. સરકાર પીએમ સ્વનિધિ યોજના હેઠળ સ્ટ્રીટ વેન્ડરોને ફરીથી પોતાનુ કામ શરૂ કરાવવા માટે લોન આપે છે.
વેપાર શરૂ કરવા માટે 10 હજાર રૂપિયાની લોન મળશે
સરકાર પીએમ સ્વનિધિ યોજના હેઠળ આપે છે લોન
સ્ટ્રીટ વેન્ડરો પોતાનો ધંધો ફરીથી શરૂ કરી શકશે
સ્ટ્રીટ વેન્ટરો લોન લઇને પોતાનુ કામ ફરીથી શરી કરી શકે
કેન્દ્ર સરકાર દેશમાં નાના ઉદ્યોગ અને વેપારને શરૂ કરવા માટે ઘણા પ્રકારની સ્કીમ ચલાવીને લોકોની મદદ કરી રહી છે. ખાસ કરીને સરકારનુ ધ્યાન આવા નાના વેપારીઓ પર વધ્યું છે, જેનો વેપાર કોરોના મહામારીના કારણે ઠપ થયો હતો. આવા વેપારીઓ માટે સરકારના નામથી એક યોજના ચાલી રહી છે. જે હેઠળ નાના વ્યાપારને શરૂ કરવા માટે લોન આપવામાં આવી રહી છે. સરકારે આ સ્કીમને ખાસ કરીને સ્ટ્રીટ વેન્ડરો માટે શરૂ કરી છે, જેનો વ્યાપાર કોરોના મહામારીની ભેટ ચઢી ગયો હતો.
ગેરંટી વગરની લોન
આ યોજના હેઠળ વ્યાપાર શરૂ કરવા માટે 10 હજાર રૂપિયાની લોન કોઈ પણ ગેરંટી વગર મળે છે. જેના માટે તમારે કશું પણ ગિરવે રાખવાનુ નથી. આ સાથે એક વખત લોનના પૈસા ચૂકવી દો છો તો તમે ડબલ રકમ લોન લેવા માટે યોગ્ય થશો. જેમકે તમે વેપાર શરૂ કરવા માટે પહેલી વખત 10 હજાર રૂપિયાની લોન લીધી અને તેને સમયસર ચૂકવી દીધી. તો બીજી વખત તમે સરળતાથી 20 હજાર રૂપિયાની લોન લઇ શકશો. આ રીતે ત્રીજી વખતમાં તમે 50 હજાર રૂપિયાની લોન લઇ શકો છો.
ત્રણ વખતમાં મળશે લોનની રકમ
ખાસ વાત એ છે કે આ યોજના હેઠળ લોન લેવા માટે કોઈ ગેરંટીની જરૂર પડતી નથી. અરજી મંજૂર થયા બાદ લોનની રકમ ત્રણ વખતમાં તમારા ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ લેવામાં આવેલી લોનની રકમને એક વર્ષની મુદ્દતમાં ચૂકવી શકાય છે. દર મહિને હપ્તામાં લોનની રકમને ચૂકવી શકાય છે.
સબસિડી આપે છે સરકાર
સરકાર પીએમ સ્વનિધિ યોજના હેઠળ શેરી-વિક્રેતાઓને ફરીથી પોતાનુ કામ શરૂ કરવા માટે લોન આપે છે. જે હેઠળ તેઓને 10 હજાર રૂપિયાની લોન મળે છે. આ યોજનાની ખાસ વાત એ છે કે લોન પર સરકાર સબસિડી આપે છે. એક વખત લોન ચૂકવ્યાં બાદ બીજી વખત ડબલ રકમ લોનના રૂપમાં લઇ શકાય છે.