કોરોના વાયરસ સંક્રમણનો સૌથી વધુ માર દૈનિક કામ કરતા શ્રમિકો પર પડ્યો હતો. હવે ધીરે-ધીરે ઉદ્યોગ-ધંધા ફરીથી ધમધમવા લાગ્યા છે. જો કે, હજી પણ દેશમાં મોટાપાયે એવા લોકો છે. જે ઓજારો, સાધનો લઇને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને એવા લોકોનો વેપાર હજી સુધી શરૂ થયો નથી. પરંતુ હવે એવા લોકોએ પરેશાન થવાની જરૂર નથી. કેન્દ્ર સરકાર સીધા તમારા ખાતામાં 10 હજાર રૂપિયા મોકલશે.
કોરોના વાયરસના કારણે દૈનિક શ્રમિકોના હાલ થયા બેહાલ
શ્રમિકો 10 હજાર રૂપિયાની લોન લઇને વેપાર શરૂ કરી શકશે
સરકાર આપી રહી છે 10,000 રૂપિયા
એવામાં જો તમારા ઓળખીતા મૂડીના અભાવે ધંધો નથી કરી શકતા તો તમારા માટે ખુશખબર છે. હવે તમે ગેરંટી વગર પીએમ સ્વનિધિ યોજના હેઠળ 10,000 રૂપિયા સુધીની લોન લઇ શકો છો. જેના માટે તમે પોતાની નજીકની બેંકમાં જઇને આ યોજના હેઠળ 10 હજાર રૂપિયાની લોન લઇને વેપાર શરૂ કરી શકો છો. આવો જાણીએ આ યોજના વિશે વિસ્તૃત માહિતી..
યોજના સાથે જોડાયેલી ખાસ વાતો
આ યોજના હેઠળ લોન લેનારનો મોબાઈલ નંબર આધાર સાથે લિન્ક કરાવવો જરૂરી છે.
ધ્યાન રાખો કે આ લોન એવા વ્યક્તિને મળશે જે 24 માર્ચ 2020 અથવા તેની પહેલાથી આ પ્રકારના કાર્યમાં જોડાયો હશે
આ લોનની યોજનાની મુદ્દત 2022 સુધી જ છે, તેથી ટૂંક સમયમાં આ પ્રક્રિયા પૂર્ણ કરી લો.
સ્ટ્રીટ વેન્ડર પછી તે શહેરી હોય કે સેમી અર્બન, ગ્રામીણ. તેમને આ લોન મળી શકે છે.
આ લોનના વ્યાજ પર સબસિડી મળે છે અને રકમ એકાઉન્ટમાં ત્રિમાસિક ધોરણે ટ્રાન્સફર થઇ જાય છે.
મળશે ગેરંટી ફ્રી લોન
આ સ્કીમ હેઠળ સ્ટ્રીટ વેન્ડરને એક વર્ષ માટે 10,000 રૂપિયા સુધીની કોલેટ્રલ ફ્રી લોન મળી શકે છે. એટલેકે આ યોજનામાં તમારે લોન લેવા માટે કોઈ પણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર પડશે નહીં. જેમાં તમે લોનનું પેમેન્ટ માસિક હપ્તામાં કરી શકો છો.