વડાપ્રઘાન શ્રમ યોગી માનધન યોજના હેઠળ, શેરી વિક્રેતાઓ, રિક્ષાચાલકો, બાંધકામ કામદારો અને અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને તેમની વૃદ્ધાવસ્થા સુરક્ષિત કરવામાં મદદ કરશે.
હવે મજુરોને પણ મળશે પેન્શન
માત્ર 2 રૂપિયા જમા કરવવા પર મળશે 36000નું પેન્શન
જાણો આ સરકારી યોજના વિશે
કેન્દ્ર સરકાર હવે મજૂરોને પણ પેન્શન આપશે
પ્રઘાનમંત્રઈ શ્રમ યોગી માનધન યોજના અસંગઠિત ક્ષેત્રના મજૂરો માટે શાનદાર યોજના છે. તેના અંતર્ગત શેરી વિક્રેતાઓ, રિક્ષાચાલકો, બાંધકામ કામદારો અને અસંગઠિત ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો તેમની વૃદ્ધાવસ્થાને સુરક્ષિત કરવામાં મદદ રૂપ સાબિત થશે. સરકાર મજૂરોને આ યોજના અંતર્ગત પેન્શનની ગેરંટી આપે છે. આ યોજનામાં દૈનિક 2 રૂપિયા બચાવીને વાર્ષિક 36000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો
55 રૂપિયા દર મહિને જમા કરવવા પડશે
આ યોજનાને શરૂ કરવા પર તમારે દર મહિને 55 રૂપિયા જમા કરવવા પડશે. એટલે કે, 18 વર્ષની ઉમર વાળાઓ દૈનિક 2 રૂપિયાની બચત કરીને 36000 રૂપિયાનું પેન્શન મેળવી શકે છે. અને જો કોઈ વ્યક્તિ 40 વર્ષની ઉમરથઈ આ યોજનાને શરૂ કરે છે. તેન દર મહિને 200 રૂપિયા જમા કરવાના રહેશે 60 વર્ષની ઉમર પૂરી થયા બાદ તમને પેન્શન મળવાનું શરૂ થઈ જશે. 60 વર્ષ બાદ તમને 3000 રુપિયા મહીના એટેલે કે, વાર્ષિક 36000 રૂપિયાની પેન્શન મળશે.
આ યોજનામાં જોડાવવા માટે જરૂરી દસ્તાવેજ
-આ યોજનાનો લાભ લેવા માટે આપની પાસે સેવિંગ બેંક એકાઉન્ટ અને આધારકાર્ડ હોવું જરૂરી છે. વ્યક્તિની ઉમર 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વઘુ ન હોવી જોઈએ.આ માટે આપને કોમન સર્વિસ સેન્ટરમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
આપવી પડશે આ જાણકારીઓ
નોંધણી માટે, તમારે તમારા આધાર કાર્ડ, બચત અથવા જન ધન બેંક એકાઉન્ટ પાસબુક, મોબાઇલ નંબરની જરૂર પડશે. આ ઉપરાંત, સંમતિ પત્ર આપવાનો રહેશે જે બેંક શાખામાં પણ આપવાનો રહેશે જ્યાં કાર્યકરનું બેંક ખાતું હશે, જેથી સમયસર તેના બેંક ખાતામાંથી પેન્શન માટે પૈસા કાપી શકાય.
આ યોજના માટે અરજી કરનાર વ્યક્તિની માસિક આવક 15 હજાર રૂપિયાથી ઓછી હોવી જોઈએ.
વડાપ્રધાન શ્રમ યોગી માનધન પેન્શન યોજના હેઠળ, કોઈપણ અસંગઠિત ક્ષેત્રના કાર્યકર, જેમની ઉંમર 40 વર્ષથી ઓછી છે અને કોઈપણ સરકારી યોજનાનો લાભ લઈ રહ્યો નથી, તે લાભ લઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ સ્કીમ માટે અરજી કરનાર વ્યક્તિની માસિક આવક 15 હજાર રૂપિયાથી ઓછી હોવી જોઈએ.