ભારત અને બાંગ્લાદેશની વચ્ચે લગભગ 6-7 કરાર થવા જઈ રહ્યા છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે દ્વિપક્ષીય વાતચીતની સાથે 3 પ્રોજેક્ટની શરૂઆત કરશે.
ભારત -બાંગ્લાદેશ વચ્ચે આજે 6-7 કરાર પર હસ્તાક્ષર
PM શેખ હસીના ગુરુવારથી 4 દિવસના ભારતીય પ્રવાસે
શેખ હસીના સાથે PM મોદી કરશે 3 પરિયોજનાનું ઉદ્ઘાટન
જાણી લો કઈ છે આ પરિયોજનાઓ?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે શુક્રવારે મીડિયાને સંબોધન કરતાં કહ્યું હતું કે, અમને આશા છે કે પરિવહન, કનેક્ટિવિટી, ક્ષમતા નિર્માણ અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે 6 થી 7 સમજૂતીઓ પર હસ્તાક્ષર થશે. બંને નેતાઓ સંયુક્તપણે ત્રણ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે.
આજે સવારે 11:30 વાગ્યે હૈદરાબાદ હાઉસ ખાતે બેઠક
સવારે 11:30 વાગ્યે હૈદરાબાદ હાઉસ ખાતે પીએમ મોદી અને પીએમ શેખ હસીના વચ્ચે બેઠક થશે. ત્યારબાદ બપોરે 1 વાગ્યે સત્તાવાર ભોજન સમારંભ યોજાશે. આ માટે બાંગ્લાદેશી વડાપ્રધાન રાષ્ટ્રપતિ ભવન ખાતે બપોરે સાડા ચાર વાગ્યે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને મળશે.
રવિવારે શેખ હસીના કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે. આ સિવાય ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલ (જે શેઠ મુજીબુર રહેમાન પર ફિલ્મ બનાવે છે) બાંગ્લાદેશી વડાપ્રધાનને મળશે. તે સોમવારે સવારે આઠ વાગ્યે બાંગ્લાદેશ પરત ફરશે.
Prime Minister of Bangladesh, Sheikh Hasina to hold bilateral discussions with Prime Minister Narendra Modi in Delhi today. The Bangladeshi PM is on a four-day visit to India. (File pic) pic.twitter.com/eOtfm8bEwc
બંને દેશના પીએમની મુલાકાતોમાં આ વાતો રહેશે મહત્વની
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ગુરૂવારથી ચાર દિવસીય ભારત પ્રવાસ પર છે. પ્રતિનિધિ મંડળની વાતચીત દરમિયાન તિસ્તાના પાણી વિતરણ અને રોહિંગ્યાનો મુદ્દો પણ ચર્ચાઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વાતચીત દરમિયાન રાષ્ટ્રીય રજિસ્ટર ઓફ સિટીઝનશીપ (NRC) પર ફોકસ રખાશે નહીં. વાતચીત દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગ અને સંબંધો વધારવા પર ભાર મૂકવામાં આવશે.
NRCની પ્રક્રિયા આંતરિક
NRC અને ગેરકાયદેસર સ્થળાંતરનો મુદ્દો ચિંતાનો વિષય છે. NRCની પ્રક્રિયાને રવિશ કુમારે 'આંતરિક' ગણાવી હતી. તેમણે કહ્યું, 'અમે કહી રહ્યા છીએ કે આ સુપ્રીમ કોર્ટના આદેશની પ્રક્રિયા છે. તે હજી પ્રગતિમાં છે. વિદેશ મંત્રાલયનો મત છે કે અમે આ સમયે અમારી બાજુથી કંઇ કરી શકતા નથી. હું માનું છું કે તે સમજવું અગત્યનું છે કે પહેલા ચાલુ પ્રક્રિયાને પૂર્ણ થવા દો. આ પછી ઘણી અપીલ પ્રક્રિયાઓ છે.
દ્વિપક્ષીય મુદ્દા પર થશે વાતચીત
બાંગ્લાદેશ માટે તિસ્તા પાણીના વિતરણનો મુદ્દો સંવેદનશીલ મુદ્દો છે. હસીનાની મુલાકાત પહેલા બાંગ્લાદેશના વિદેશ પ્રધાન એકે અબ્દુલ મોમિને બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, "આ બેઠક દરમિયાન બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના તમામ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે." જેમાં રોહિંગ્યાથી શૂન્ય સરહદ કિલિંગ, તિસ્તા અને સરહદની અન્ય નદીઓ અંગેના કરાર સામેલ છે.
ડુંગળીના ભાવને લઈને પણ વ્યક્ત કરી ચિંતાઃ શેખ હસીના
વડાપ્રધાન શેખ હસીનાએ ભારતમાં ડુંગળીના વધતા ભાવ પછી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ અંગે ચિંતા વ્યક્ત કરી છે, કેમ કે તેનાથી બાંગ્લાદેશને પણ અસર થઈ રહી છે. આ વિશે રવિશ કુમારે કહ્યું, 'અમે વડાપ્રધાનનું નિવેદન જોયું છે. અમે એ જોવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે બાંગ્લાદેશના વડાપ્રધાને ચિંતા વ્યક્ત કરી છે. તેના માટે શું ઉપાય શોધી શકાય છે.
અગાઉ પણ બંને નેતાઓની ન્યૂયોર્કમાં થઈ હતી મુલાકાત
વડાપ્રધાન શેખ હસીનાએ ગુરુવારે સાંજે ભારતમાં બાંગ્લાદેશના રાજદૂત સૈયદ મુઆઝમ અલી દ્વારા યોજાયેલી ભોજન સમારંભમાં કહ્યું હતું કે તેઓ સમજી શક્યા નથી કે એનઆરસી પ્રક્રિયામાં કોઈ સમસ્યા છે. તેમણે કહ્યું, 'અમે વડાપ્રધાન મોદી સાથે વાત કરી છે. બધું સારું છે ગત સપ્તાહે સંયુક્ત રાષ્ટ્રની 74મી મહાસભામાં ન્યૂયોર્કમાં બંને નેતાઓની મુલાકાત પણ થઈ હતી.