ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, ત્યારે આજે ગાંધીનગરમાં આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. જેમાં ધારાસભ્ય દળના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરાઇ છે. ભૂપેન્દ્ર પટેલ અને તેમનો નવો મંત્રી મંડળ 12 ડિસેમ્બરે શપથ લેવાનો છે. મંત્રી મંડળમાં ક્યાં ક્યાં નેતાઓને સમાવેશ કરવા તે અંગે મુખ્યમંત્રી અને સી આર પાટીલ દિલ્લી પહોંચ્યા હતા અને જ્યા નવા મંત્રી મંડળને લઈ મંથન કર્યું હતું તેમજ PM મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહને શપથ ગ્રહણમાં હાજર રહેવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. જે બાદ સૂત્ર દ્વારા પાપ્ત માહિતી અનુસાર શપથગ્રહણ સમારોહમાં જતા અગાઉ PM મોદીના રોડ શો યોજાશે.
અમદાવાદમાં PMનો યોજાઇ શકે છે રોડ શો
ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ PM મોદીનું અમદાવાદથી ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ સુધી ભવ્ય રોડ શોનું આયોજન થઈ શકે છે. શપથગ્રહણ સમારોહમાં જતા અગાઉ PM મોદીના રોડ શોનું આયોજન થવાની સંભાવના છે તેવી વિગતો સૂત્ર પાસેથી મળે છે. PM નરેન્દ્ર મોદીના સ્વાગત માટે સોમવારે ભવ્ય રોડ શો યોજાઈ શકે છે. જે એરપોર્ટથી ગાંધીનગર શપથ સ્થળ સુધી યોજાઈ શકે છે. નાગરિકો સ્વયંભૂ રીતે અભિવાદન માટે ઉપસ્થિત રહેશે. સૂત્રો મારફતે વિગતો પાપ્ત થઈ રહી છે કે, રોડ શોની સંભાવનાઓને લઈ પક્ષને આયોજન માટે સૂચના અપાઈ છે.
ગુજરાતના નવા મંત્રીમંડળ મુદ્દે દિલ્લીમાં મંથન
ગુજરાતમાં નવા મંત્રીમંડળ મુદ્દે દિલ્હીમાં મંથન થયું છે. જ્યાં ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ પણ હાજર રહ્યાં હતા. ગુજરાતના મંત્રીમંડળ મુદ્દે પ્રધાનમંત્રી નિવાસ્થાને ચર્ચાઓ ચાલી હતી. વડાપ્રધાન મોદી અને અમિત શાહ સહિતના અગ્રણીઓની હાજરીમાં બેઠક ચાલી હતી.
ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળના 12 ડિસેમ્બરે શપથગ્રહણ
રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ અને તેમના નવા મંત્રી મંડળ આગામી 12 ડિસેમ્બરે શપથ લેશે. તેઓ ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે બપોરે 12-00 વાગ્યે શપથગ્રહણ કરશે. જોકે અહી નોંધનીય બાબત એ છે કે, તે દિવસે જે ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળના તમામ સભ્યો સાથે જ શપથગ્રહણ કરશે.
શપથગ્રહણમાં કોણ કોણ હાજર રહેશે ?
આગામી 12 ડિસેમ્બરના રોજ ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે. આ શપથગ્રહણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. આ સાથે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રી, NDAના નેતા અને અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. અત્રે તેમને જણાવી દઈએ કે, શપથવિધિનું આમંત્રણ PM મોદી અને ગૃહમંત્રી શાહને ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ આપશે.