પ્રધાનમંત્રી મોદીએ દેશની કોવિડ પરિસ્થિતિની સમીક્ષા માટે ટોચના અધિકારીઓ સાથે મીટિંગ યોજીને અધિકારીઓને રાજ્યો સાથે સતત સંપર્કમાં રહેવાનો આદેશ આપ્યો
એમ્પાવર્ડ ગ્રુપના અધિકારીઓ સાથે પ્રધાનમંત્રીની બેઠક
પ્રધાનમંત્રીને ઓક્સિજનનના સપ્લાય અંગે જાણ કરાઈ
પ્રધાનમંત્રીએ અધિકારીઓને રાજ્યો સાથે સતત સંપર્કમાં રહેવાનો આદેશ આપ્યો
દેશમાં ઓક્સિજન વધારવા માટે કામ કરી રહેલા એમ્પાવર્ડ ગ્રુપના અધિકારીઓએ પ્રધાનમંત્રીને ઓક્સિજનનના સપ્લાય અને તેની ઉપલબ્ધતા વધારવાના પ્રયાસો વિશે જાણકારી આપી.
રાજ્યોને ઓક્સિજનની ફાળવણી અંગે પણ પ્રધાનમંત્રીને જાણ કરાઈ
રાજ્યોને ઓક્સિજનની ફાળવણી અંગે પણ પ્રધાનમંત્રીને જાણ કરાઈ હતી. બેઠકમાં લિક્વીડ મેડિકલ ઓક્સિજન (એલએમઓ) ના પ્રોડક્શનને 5700 મેટ્રીક ટનથી વધારીને 8922 કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રીએ અધિકારીઓને આપ્યા આ આદેશ
બેઠકમાં પ્રધાનમંત્રીએ ઓક્સિજન પ્લાન્ટ વહેલી તકે ચાલુ કરવા રાજ્ય સરકારો સાથે સતત સંપર્કમાં રહેવાનો આદેશ અધિકારીઓને આપ્યો.
અધિકારીઓએ પીએમને એવી પણ જાણ કરી કે પીએસએ પ્રેસર સ્વિંગ એડસોર્પેશન ઓક્સિજન પ્લાન્ટ શરુ કરવા રાજ્યોને પ્રોત્સાહિત કરાઈ રહ્યાં છે. પ્રધાનમંત્રીને ઓક્સિજન એક્સપ્રેક્સ રેલવે સર્વિસ તથા દેશમાં અને વિદેશમાં ઓક્સિજન ટેન્કર્સના ટ્રાન્સપોર્ટ કરવા માટે ઈન્ડીયન એરફોર્સના પ્રયાસો અંગે પણ જાણ કરવામાં આવી.
સોમવારે કોરોનાના નવા કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો
કોરોનાની બીજી લહેર ભારતમાં કહેર વર્તાવી રહી છે. ગત એક અઠવાડિયાથી 3 લાખથી વધારે કેસ નોંધાયી રહ્યા છે. રવિવારે સાડા 3 લાખથી પણ વધારે નવા કેસ નોંધાયા હતા. જોકે સોમવારે કોરોનાના નવા કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. વર્લ્ડોમીટરના જણાવ્યાનુંસાર દેશમાં સોમવારે કોરોનાના 3 લાખ 20 હજાર 435 નવા મામલા સામે આવ્યા છે. ત્યારે આ દરમિયાન 2764 લોકોએ જીવ ગુમાવ્યો છે.
કુલ મોતની સંખ્યા 1 લાખ 97 હજાર 880 એ પહોંચી ગઈ
ભારતમાં અત્યાર સુધીમાં કુલ મોતની સંખ્યા 1 લાખ 97 હજાર 880 એ પહોંચી ગઈ છે. ત્યારે દેશમાં કોરોના વાયરસથી 28 લાખ 82 હજાર 513 એક્ટિવ મામલા સામે આવ્યા છે.
આ ઘટાડો મહારાષ્ટ્રના કારણે આવ્યો
ભારતમાં નવા મામલામાં આ ઘટાડો મહારાષ્ટ્રના કારણે આવ્યો છે. ત્યારે સોમવારે કોરોનાના નવા મામલામાં મોટો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં જ્યાં દર રોજ 60 હજારને પાર નવા મામલા સામે આવી રહ્યા છે. ત્યારે સોમવારે 48 હજાર 700 નવા મામલા આવ્યા છે. રવિવારે મૃતકોના આંકડા 800ને પાર પહોંચવાના એક દિવસ બાદ જ મરનારાની સંખ્યા ઓછી થઈ ગઈ છે. બીજી તરફ મુંબઈમાં ગત એક દિવસમાં ફક્ત 3, 876 નવા કેસ સામે આવ્યા છે.