પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લોકોને આવાસો તો ફાળવી દેવામાં આવે છે. ભ્રષ્ટ્રાચારનાં બનેલા આવાસોમાં લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. વરસાદ હોય કે ન હોય પણ આવાસોમાં 24 કલાક પાણી ટપકી રહ્યું છે.
3 વર્ષમાં એપાર્ટમેન્ટ બન્યા ખંડેર
લોકો ભયના ઓથાર હેઠળ રહેવા મજબૂર
કોન્ટ્રાક્ટર પર લાગ્યો ભ્રષ્ટાચારનો આરોપ
જ્યાં જુઓ ત્યા ભ્રષ્ટ્રાચાર પ્લાસ્ટરના પોપડા ઉખડી રહ્યા છે. અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં આવેલ તાપી એપાર્ટમેન્ટની હાલત હાલ ખંડેર જેવી છે. ગરીબો માટે બનેલા આવાસો જર્જરીત થઈ ગયા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા આવાસો 3 વર્ષ પહેલા બનેલા છે. ત્યારે આ આવાસોમાં ચારે બાજુ પાણી ટપકે છે. અને ચારે બાજુ ભેજ લાગી ગયો છે. ફક્ત 3 વર્ષ પહેલા બનેલા આવાસોની સ્થિતિ હાલ ખૂબ જ ખરાબ છે.
જર્જરીત આવાસોને લઈ લોકો ભયમાં જીવી રહ્યા છે
આવસ યોજના હેઠળ મળેલા આવાસના પૈસા પૂરું લેવાયા છે. પરંતું કામ વ્યવસ્થિત કરવામાં આવ્યું નથી. ત્યારે ત્રણ વર્ષમાં જ છતમાંથી પાણી ટપકી રહ્યું છે. તેમજ જે લાદીઓ નાંખવામાં આવી છે તે પણ ઉખડવા લાગી છે. તેમજ આવાસોના પાયાઓ પણ નબળા પડી રહ્યા છે. જેને લઈને લોકો પણ ભય માં જીવી રહ્યા છે. ત્યારે કોરોનાં કાળ ચાલુ હતો ત્યારે AMC દ્વારા આ ફ્લેટને કોરન્ટાઈન ફ્લેટ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેથી અંદર લાઈટ પંખાની સુવિધા ઉપલબ્ધ છે. કોરોનાં કાળ પૂર્ણ થયા બાદ આવાસ યોજનાના દસ્તાવેજ કરીને પઝેશન આપવામાં આવ્યું હતું. ત્યારે મકાન દીઠ 4680 રૂપિયા માંગવામાં આવ્યા હતા જો તે પૈસા ભરપાઈ કરવામાં ન આવે તો મકાનનો દસ્તાવેજ પણ અટકાવી દેવામાં આવ્યા હતા. એટલે કે, આવાસ યોજનાના લાભાર્થીઓને ન છુટકે રૂ. 4680 ભરવા માટે મજબૂર કર્યા હતા.
અનેક વખત રજૂઆત છતાં કોઈ કાર્યવાહિ કરાઈ નથીઃ રહીશો
વધતી આગની ઘટના સામે ફાયર સિસ્ટમ પણ નાંખવામાં આવી છે. આ સિસ્ટમ પણ શોભાના ગાંઠિયા સમાન છે. કોન્ટ્રાકટર હોય કે તંત્ર લોકો પાસેથી પૈસા લઇ આવાસો તો આપી દીધા છે. પણ હવે રહેતા લોકો ધક્કે ચડ્યા છે. ત્યારે સરકારે બનાવેલ આવાસોમાં ભ્રષ્ટ્રાચારની બુ આવી રહી છે. અનેક વખત રજૂઆત છતાં પણ કોઈ કાર્યવાહિ કેમ કરવામાં આવતી નથી તે એક સવાલ છે.