સીનિયર સિટીઝન માટે સારા સમાચાર છે. હવે 60 વર્ષથી ઉપરના લોકો માટે સરકારે પીએમ વય વંદના યોજનાની શરૂઆત કરી છે. જે હેઠળ તમે વાર્ષિક 1,11,000 રૂપિયા સુધી પેન્શન મેળવી શકો છો.
સીનિયર સિટીઝન માટે Good News
વૃદ્ધોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે સરકારે કરી શરૂઆત
પીએમ વય વંદના યોજનાની કરી શરૂઆત
કેટલો સમયગાળો?
પ્રધાનમંત્રી વય વંદના યોજના વૃદ્ધોને તેના જીવનના મહત્વના તબક્કા પર આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. જેનો સમયગાળો 31 માર્ચ, 2020 સુધી હતો. પરંતુ હવે તેને માર્ચ 2023 સુધી વધારી દેવામાં આવ્યો છે. આ યોજના સાથે જોડાવવા માટે ઓછામાં ઓછી ઉંમર 60 વર્ષ છે. એટલેકે 60 વર્ષ અથવા તેનાથી વધુની ઉંમરના નાગરિકો તેમાં રોકાણ કરી શકે છે. જે હેઠળ મહત્તમ ઉંમરની મર્યાદા નક્કી કરાઈ નથી.
LICને મળી છે જવાબદારી
આ યોજનામાં એક વ્યક્તિ મહત્તમ 15 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકે છે. આ સ્કીમના સંચાલનની જવાબદારી જીવન વીમા નિગમને સોંપવામાં આવી છે. આ યોજનામાં પેન્શન માટે તમારે એકસાથે રકમનું રોકાણ કરવાનુ છે અને પછી તમે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક પેન્શનનો વિકલ્પ પસંદ કરી શકો છો.
કેટલુ મળશે વાર્ષિક પેન્શન
આ સ્કિમ હેઠળ તમારે મહિને 1000 રૂપિયા પેન્શન માટે તમારે 1,62,162 રૂપિયાનું રોકાણ કરવુ પડશે. આ યોજના હેઠળ મહત્તમ માસિક પેન્શન 9250 રૂપિયા, ત્રિમાસિક 27,750 રૂપિયા અને અર્ધવાર્ષિક પેન્શન 55,500 રૂપિયા અને વાર્ષિક પેન્શન 1,11,000 રૂપિયા આપવામાં આવે છે.