30 જાન્યુઆરી 1948ના રોજ નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીજીની ગોળી મારી હત્યા કરી દીધી હતી. આજે દેશભરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પૂણ્યતિથિ મનાવી રહ્યાં છે. આ અવસર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ગાંધીજીના વિચાર આજે પણ એટલા જ શાશ્વત છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પૂણ્યતિથિ મનાવી રહ્યાં છે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી
અમિત શાહે કહ્યું કે ગાંધીજીના વિચાર આજે પણ એટલા જ શાશ્વત છે
રાષ્ટ્રપતિએ કહ્યું કે રાષ્ટ્રપિતા આપણા માટે શરત વગર બીજાને પ્રેમ કરવાનો મંત્ર છોડીને ગયા છે. જ્યારે પીએમ મોદીએ બાપૂને નમન કર્યું છે.
On #MartyrsDay, President Kovind’s homage to #MahatmaGandhi: “In his final sacrifice, Gandhiji left a constant reminder for us: Unconditional love, especially for The Other. I am confident, more and more of us will discover Gandhiji’s true message”https://t.co/w9Ikr7sOV8
રાષ્ટ્રપતિ ભવનના ટવિટર પર લખવામાં આવ્યું છે કે, શહીદ દિવસ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. પોતાના અંતિમ બલિદાનમાં ગાંધીજીએ આપણા માટે એક સ્મૃતિપત્ર છોડ્યું, શરત વગર પ્રેમ, ખાસકરીને બીજા માટે. મને વિશ્વાસ છે, આપણામાંથી ઘણા લોકો ગાંધીજીના સાચા સંદેશની શોધ કરી રહ્યાં છે.
राष्ट्रपिता महात्मा गांधी की पुण्यतिथि पर उन्हें कोटि-कोटि नमन। पूज्य बापू के व्यक्तित्व, विचार और आदर्श हमें सशक्त, सक्षम और समृद्ध न्यू इंडिया के निर्माण के लिए प्रेरित करते रहेंगे।
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ટવિટર પર લખ્યું છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને તેમની પુણ્યતિથિ પર કોટિ-કોટિ નમન. પૂજય બાપુના વ્યક્તિત્વ,વિચાર અને આદર્શ આપણને સશક્ત, સક્ષમ અને સમૃદ્ધ ન્યૂ ઇંડિયાના નિર્માણ માટે પ્રેરિત કરે છે.
महात्मा गांधी जी के विचार आज भी उतने ही शाश्वत हैं जितने दशकों पहले थे। उन्होंने न सिर्फ भारत बल्कि समूचे विश्व को सत्य और अहिंसा के मार्ग पर चलने के लिए प्रेरित किया।
स्वच्छ भारत के गांधी जी के सपने को आज साकार करने का काम मोदी जी ने किया है।
ગૃહમંત્રી અમિત શાહે લખ્યું છે કે મહાત્મા ગાંધીજીના વિચાર આજે પણ એટલા જ શાશ્વત છે કે જેટલા દાયકા પહેલા હતા. ગાંધીજીએ ન માત્ર ભારત પરંતુ વિશ્વને સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવા માટે પ્રેરિત કર્યાં છે.