જકાર્તાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જકાર્તાથી મલેશિયાના કુઆલાલમ્પુર પહોંચ્યા હતા. ઈન્ડોનશિયા બાદ મલેશિયાના પીએમને મળવાનો ઉદ્દેશ રક્ષા અને વેપાર સહિત વિવિધ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં તેમની સાથે ભારતના સંબંધોને વધુ મજબૂત કરવાના છે.
આ અગાઉ વિદેશ મંત્રાલયે કહ્યું હતુ કે પીએમ મોદી મલેશિયાના નવનિયુક્ત પ્રધાનમંત્રી ડૉ. મહાતીર મોહમ્મદને મળશે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી અને મહાતીર વેપાર અને રોકાણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા વિચાર વિમર્શ કરશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની મલેશિયાની આ બીજી મુલાકાત છે.
પહેલીવાર ઇન્ડોનેશિયાના પ્રવાસે ગયેલ પીએમ નરેન્દ્ર મોદીની રાજધાની જકાર્તામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ઇન્ડોનેશિયામાં રાષ્ટ્રપતિ જોકો વિડોડો સાથે મુલાકાત અને ડેલીગેશન સ્તરની બેઠક બાદ પીએમ મોદીએ પતંગોત્સવ પહોંચ્યા અને આ મહોત્વનું ઉદ્ધાટન કર્યું હતું. બાદમાં પીએમ મોદીએ અહીં પતંગ પણ ઉડાવી હતી.