મહારાષ્ટ્રમાં સરકારના ગઠનને લઈને હજુ પણ ખેંચતાણ ચાલી રહી છે. ત્યારે એનસીપી-કોંગ્રેસ અને શિવસેનાએ મળીને એક કાર્યક્રમ બનાવ્યો. જોકે, હવે તેના પર પણ ગ્રહણ લાગતો દેખાઈ રહ્યો છે. સંસદનું શિયાળું સત્રમાં નરેન્દ્ર મોદીએ શરદ પવારની NCP પાર્ટીની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં વિરોધ પ્રદર્શન માટે સૂત્રોચ્ચાર કરી રહેલાં બીજેપી સહિતના તમામ રાજકીય પક્ષોને બીજેડી જનતા દળ (BJD) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પાસેથી સીટ પર જ બેસીને વિરોધ કઈ રીતે કરી શકાય તેની શીખ લેવાની સલાહ આપી. મોદીએ કહ્યું, ખુરશીની સમક્ષ આવ્યા વિના પણ રાજકીય વિકાસ કરી શકાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NCP અને BJDની પ્રશંસા કરી
રાજકીય પક્ષોને સીટ પર જ બેસીને વિરોધ કઈ રીતે કરવો તેની સલાહ લેવાનું કહ્યું
કોંગ્રેસ શિવસેનામાં જોડાવાને લઈને અસમંજસમાં
250મા સત્ર પર મોદીએ ગૃહને સંબોધિત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના 250મા સત્ર પર ગૃહને સંબોધિત કર્યું. જેમાં રાજ્યસભાની ભૂમિકા, આગળની વ્યૂહરચના જેવા વિષયો પર વિશેષ ચર્ચા કરતા કહ્યું કે, NCP અને BJD બે દળો એવા છે જેમણે અનુશાસન નક્કી કર્યું છે, તેઓ વિરોધી વહેણમાં નહીં જાય અને તેમની પાર્ટીના સભ્યો પણ તેનું પાલન કરશે. આવુ કરવાથી ના રાજકરણ નબળું પડ્યું ના એનસીપી. વડાપ્રધાને કહ્યું કે જ્યારે ભાજપ વિપક્ષમાં હતી, ત્યારે અમારી પાર્ટીના સભ્યો પણ આવું કરતા હતા. મોદીએ એનસીપી અને બીજેડીનું ઉદાહરણ આપતા કહ્યું કે, બીજેપી સહિત તમામ દળોએ તેમની પાસેથી શીખ લેવી જોઈએ. તેમણે એ વાતનો સ્વીકાર કર્યો કે તેમની પાર્ટી (બીજેપી) પણ પહેલાં વિરોધ કરતી હતી.
શરદ પવાર અને સોનિયા ગાંધીની મુલાકાત થશે
આ અગાઉ દિલ્હી પહોંચેલા એનસીપી અધ્યક્ષ શરદ પવારે સરકારની રચના અંગે પૂછાયેલા સવાલ પર કહ્યું હતું કે શિવસેના અને ભાજપે અલગ-અલગ ચૂંટણી લડવી જોઈએ અને અમે અને કોંગ્રેસ સાથે ચૂંટણી લડીશું. તમે આવું કઈ રીતે કહી શકો, તેઓ પોતાની રણનીતિ નક્કી કરશે અને આપણે આપણી રણનીતિ નક્કી કરવાની છે. આજે શરદ પવાર અને સોનિયા ગાંધીની મુલાકાત થશે.
કોંગ્રેસ શિવસેનામાં જોડાવાને લઈને અસમંજસમાં
હમણાં સુધી સમાચાર હતા કે શિવસેનાને સમર્થન આપવાના મુદ્દે આ બેઠકમાં વ્યૂહરચનાને અંતિમ રૂપ આપી શકાય છે. પરંતુ હવે આ મામલે કંઇ સ્પષ્ટ નથી. કોંગ્રેસ શિવસેનામાં જોડાવાને લઈને અસમંજસમાં છે કે તેઓ સરકારમાં સામેલ થાય કે પછી બહારથી સમર્થન આપે.