પ્રધાનમંત્રી મોદીએ પોતાના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા દેશવાસીઓ સાથે પોતાના વિચારો શેર કર્યા હતા. જેમાં તેમણે ગુજરાતના મેળાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ મન કી બાતમાં ગુજરાતના મેળાનો કર્યો ઉલ્લેખ
માધવપુર ઘેડના મેળાની પરંપરાને ગણાવી એક ભારત-શ્રેષ્ઠ ભારતનું બહુ સુંદર ઉદાહરણ
દેશવાસીઓને મેળા વિશે જાણવાની અને માણવાની કરી અપીલ
કાર્યક્રમમાં પીએમ મોદીએ ભારતમાં બની રહેલી વસ્તુઓની દુનિયામાં ડિમાન્ડ, એક્સપોર્ટમાં મેળવેલી સિદ્ધિઓ પર વાત કરી હતી.તો આ સાથે જ પ્રધાનમંત્રી
મન કી બાતમાં માધવપુરના મેળાને કર્યો યાદ
‘માધવપુર મેળો’ ગુજરાતના પોરબંદરના સમુદ્ર પાસે માધવપુર ગામમાં લાગે છે. પરંતુ તેનો હિન્દુસ્તાનના પૂર્વીય છેડા સાથે પણ સંબંધ જોડાય છે. તમે વિચારતા હશો કે આવું કઈ રીતે સંભવ છે? તો તેનો પણ ઉત્તર એક પૌરાણિક કથામાં મળે છે. કહેવાય છે કે હજારો વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણનો વિવાહ પૂર્વોત્તરનાં રાજકુમારી રુક્મિણી સાથે થયો હતો. આ વિવાહ પોરબંદરના માધવપુરમાં સંપન્ન થયો અને આ વિવાહના પ્રતીક રૂપે આજે પણ ત્યાં માધવપુર મેળો યોજાય છે. પૂર્વ અને પશ્ચિમનો આ ગાઢ સંબંધ, આપણો વારસો છે.
એક ભારત-શ્રેષ્ઠ ભારતનું બહુ સુંદર ઉદાહરણ હોવાની કરી વાત
સમયની સાથે હવે લોકોના પ્રયાસથી, માધવપુર મેળામાં નવી-નવી ચીજો જોડાઈ રહી છે. આપણે ત્યાં કન્યા પક્ષને ઘરાતી કહેવાય છે અને આ મેળામાં હવે ઈશાન ભારતથી ઘણા ઘરાતી પણ આવવા લાગ્યા છે. એક સપ્તાહ સુધી ચાલતા માધવપુર મેળામાં ઈશાન ભારતના બધાં રાજ્યોના કલાકારો પહોંચે છે, હસ્તકળા સાથે જોડાયેલા કલાકારો પહોંચે છે અને આ મેળાની રોનકને ચાર ચાંદ લગાવી દે છે. એક સપ્તાહ સુધી ભારતના પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓનો આ મેળ, આ માધવપુર મેળો, એક ભારત-શ્રેષ્ઠ ભારતનું બહુ સુંદર ઉદાહરણ બની રહ્યો છે. મારો તમને અનુરોધ છે કે તમે પણ આ મેળા વિશે વાંચો અને જાણો.
શું છે મેળાનો ઈતિહાસ ?
પોરબંદર જિલ્લાના માધવપુર ગામ આ લોકમેળો દર વર્ષે ચૈત્ર સુદ નોમથી સતત પાંચ દિવસ સુધી યોજાય છે.એક લોકવાયકા પ્રમાણે ભગવાન કૃષ્ણ સ્વયં રુકમણીની વિનંતી તેમનું અપહરણ કરી અહીં મંદિરમાં આવી એમની સાથે પરણ્યા હતા. તે પ્રસંગની યાદમાં દર વર્ષે અહીં માધવરાયનો મેળો યોજવામાં આવે છે.
મેળાનું મહત્વ પણ જાણો
કૃષ્ણ અને રુકમણી ના વિવાહ પ્રસંગની યાદમાં અહી લગ્ન અંગેની ગણેશ સ્થાપના, મંડપ વિધિ, વરઘોડો, સ્વયંવર વિધિ વગેરે પ્રસંગો અહીં વિધિવત રીતે ઉજવાય છે. પ્રથમ દિવસે ગણેશનીની સ્થાપના કરી લગ્નપત્રિકઓા મોકલવમાં આવે છે. પછી કૃષ્ણની ભવ્ય જાન પણ જોડાય છે.આ મેળામાં કચ્છથી ‘મેર’ જાતિના લોકો વિશેષ રીતે જોડાય છે, તેઓ તેમના સજાવેલા ઊંટ લઈને આવતા હોય છે. કૃષ્ણની જાન વખતે લોકભક્તિ અને કીર્તન કરે છે તથા રાસ રમે છે.
ભારતીય સામાનની વિશ્વમાં ડિમાન્ડ વધી
પીએમ મોદીએ પોતાના કાર્યક્રમમાં કહ્યું હતું કે, આપણા દેશમાંથી 30 લાખ કરોડની નિકાસ થઈ છે, જે એક રીતે ઐતિહાસિક છે. તેમણે કહ્યું કે, ભારતે 400 અબજ ડોલરની નિકાસનો ટાર્ગેટ પ્રાપ્ત કર્યો છે. આ ભારતની ક્ષમતાઓને દર્શાવે છે. તેનો અર્થ એ છે કે, દુનિયામાં ભારતીય સામાનોની માગ વધી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે, એક સમયે ભારતમાં એક્સપોર્ટનો આંકડો ક્યારેય 100 મિલિયન, તો ક્યારેય દોઢસો બિલિયન સુધી કરતા હતા. આજે ભારત 400 બિલિયન ડોલર સુધી પહોંચી ચુક્યું છે. જેનો સ્પષ્ટ અર્થ એવો થાય છે કે, ભારતમાં બની રહેલી વસ્તુઓની ડિમાન્ડ વિશ્વમાં વધી રહી છે.
ગોદાવરી નદીના કિનારે કામ કરતા આ ભાઈનો ઉલ્લેખ કર્યો
તેમણે વધુમાં કહ્યું કે, આપણે જોયું છે કે, કતરના એક યોગ કાર્યક્રમમાં 114 દેશોએ ભાગ લઈને ઈતિહાસ બનાવી દીધો હતો. તેમણે પોતાના સંબોધન દરમિયાન સ્ટાર્ટઅપ વર્લ્ડનો પણ ઉલ્લેખ કર્યો હતો. મન કી બાતમાં તેમણે ચંદ્રકિશોર પાટિલનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, તેમની સ્વચ્છતાને લઈને કરેલા કામ સરાહનિય છે. તે ગોદાવરી નદીમાં લોકોને કચરો ફેંકતા રોકે છે. તેમણે કહ્યું કે, પાટિલજીનું આ કામ લોકોને મોટી પ્રેરણા આપે છે.
પાણીના સંરક્ષણ પર કરી આ વાત
સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં ઘણા બધાં લોકો પાણી કંજરવેશન પર ખૂબ કામ કરી રહ્યા છે. તેમણે મહારાષ્ટ્રના રોહનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તે મહારાષ્ટ્રના સૈંકડો સીડીવાળા કુઆને સાફ કરવાનું અભિયાન ચલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, આવા કેટલાય લોકો છે કે, જેમણે પાણી સંરક્ષણનું કામ કર્યું છે.