પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સયંક્ત રાષ્ટ્ર મહાસભા(UNGA)ના 75માં સત્રને સંબોધન કર્યું હતું. વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, 130 કરોડથી વધુ લોકો તરફથી તમામ સભ્ય દેશનો ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું.
હું આપ સૌની સામે ભારતના 130 નાગરિકોની ભાવના વ્યક્ત કરવા આવ્યો છું. 1945 પહેલા દુનિયા ખૂબ જ અલગ હતી. તે સમય અને આજે પણ શું સંયુક્ત રાષ્ટ્રના પ્રયાસ પર્યાપ્ત છે?
ભારતના લોકો યુએનમાં સુધારાની રાહ જોઈ રહ્યા છે
છેલ્લા આઠ-નવ મહિનામાં સમગ્ર વિશ્વ કોરોના મહામારી સાથે બાથ ભીડી રહ્યું છે. આ સમય દરમિયાન, સંયુક્ત રાષ્ટ્ર ક્યાં છે? આજે, સંયુક્ત રાષ્ટ્રમાં સિસ્ટમ પરિવર્તનની માંગ છે. બંધારણમાં પરિવર્તનની સિસ્ટમ ક્યારે પૂર્ણ થશે? ભારતના લોકો યુએનમાં સુધારાની રાહ જોઈ રહ્યા છે.
ભારતે ક્યાં સુધી જોવી પડશે રાહ
આવો એક દેશ અહીં વિશ્વની 18 ટકા કરતા વધુ વસ્તી વસે છે. જે દેશમાં પરિવર્તન થઈ રહ્યું છે તે વિશ્વના મોટા ભાગને અસર કરી રહ્યું છે. તે દેશને કેટલો સમય રાહ જોવી પડશે? યુએનમાં ભારતની નિર્ણાયક ભૂમિકા ક્યારે રહેશે? 'અમે આખી દુનિયાને પરિવાર માનીએ છીએ. ભારત એ દેશ છે જેણે શાંતિ સ્થાપનામાં સૌથી વધુ બહાદુર સૈનિકો ગુમાવ્યા છે. આજે, દરેક ભારતીય સંયુક્ત રાષ્ટ્રમાં તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને તેમની વિશાળ ભૂમિકા જોઈ રહ્યો છે.
હાલ ભારતમાં રસીનું પરીક્ષણ ત્રીજા તબક્કામાં છે અને વેક્સિન મુદ્દે ભારત તમામની મદદ કરશે, અમારી વેક્સિન ડિલિવરી ક્ષમતા વિશ્વને કામ આવશે : PM મોદી#UNGA#PMModiAtUN@narendramodi@PMOIndia
મહામારીના આ મુશ્કેલ સમયમાં ભારતનો ફાર્મ ઉદ્યોગે દુનિયાને દવાઓ પહોંચાડી છે. ભારતની વેક્સિન ક્ષમતા આખી દુનિયાને આમાંથી બહાર કાઢશે. આવતા વર્ષે જાન્યુઆરીથી ભારત સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે પણ જવાબદારી નીભાવશે.
વિશ્વના ઘણા દેશોએ ભારતમાં સ્થાપિત કરેલા વિશ્વાસ બદલ હું બધા સાથી દેશોનો આભાર માનું છું. આ સાથે જ તેમણે વધુમાં કહ્યું હતું કે, હાલ ભારતમાં રસીનું પરીક્ષણ ત્રીજા તબક્કામાં છે અને વેક્સિન મુદ્દે ભારત તમામની મદદ કરશે, અમારી વેક્સિન ડિલિવરી ક્ષમતા વિશ્વને કામ આવશે.