નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીનની બે દિવસની યાત્રા પર આજે રવાના થઇ ગયા છે જ્યાં તેઓ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે અનૌચારિક શિખર વાર્તામાં ભાગ લેશે. આ દરમિયાન બંને પક્ષ દ્વિપક્ષીય આંતરરાષ્ટ્રીય અને આપસી હિતોથી જોડાયેલા મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરશે. પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની વચ્ચે 27 અને 28 એપ્રિલે ચીનના વુહાન શહેરમાં શિખર બેઠક થશે. ચીનની યાત્રા પર રવાના થતા પહેલા પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કર્યું 'હું ચીનની વુહાનની યાત્રા પર જઇ રહ્યો છું. જ્યાં 27 28 એપ્રિલે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે બેઠક થશે.'
I will be visiting Wuhan China on 27-28 April 2018 for an Informal Summit with Mr. Xi Jinping President of the People's Republic of China.
મોદીએ કહ્યું 'રાષ્ટ્રપતિ શી દ્વિપક્ષીય અને વૈશ્વિક મહત્વના વિવિધ વિષયો પર વ્યાપક ચર્ચા કરશે અને વિચારોનું આદાન પ્રદાન કરશે. અમે આપણી દ્રષ્ટિ અને રાષ્ટ્રીય વિકાસ માટે પ્રાથમિકતાઓ પર ચર્ચા કરીશું જેમાં ખાસ કરીને વર્તમાન અને ભવિષ્યના આંતરરાષ્ટ્રીય દ્રશ્યના વિષય સામેલ થશે.' મોદીએ કહ્યું કે એમાં ભારત ચીન સંબંધોના સામરિક અને દીર્ધકાલિન પહેવુંના સંદર્ભમાં સમીક્ષા કરવામાં આવશે.
વર્ષ 2014માં સત્તામાં આવ્યા બાદ મોદીની આ ચોથી ચીન યાત્રા હશે. એ 9 અને 10 જૂને ક્વિંગદાઓ શહેરમાં થવા જઇ રહેલા એસસીઓ શિખલ સંમેલનમાં ભાગ લેવા માટે પણ ચીન જઇ શકે છે.
President Xi and I will exchange views on a range of issues of bilateral and global importance. We will discuss our respective visions and priorities for national development particularly in the context of current and future international situation.
ઉલ્લેખનીય છે કે ડોકલામ વિવાદના કારણએ બંને દેશોના સંબંધોમાં આવેલી કડવાશને દૂર કરવા માટે હાલના સમયમાં બંને પક્ષોએ ઘણા પગલા ભર્યા છે. આ દિશામાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલે ચીનની યાત્રા કરી હતી. ત્યારબાદ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ આઠ દેશોના શંધાઇ
સહયોગ સંગઠનના વિદેશ મંત્રીઓની બે દિવસીય બેઠકમાં ભાગ લેવા ચીન ગયા હતા.