પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનની પ્રેસિડન્ટ શી જિનપિંગ સાથે અનૌપચારિક મુલાકાત માટે તમિલનાડુના મહાબલીપુરમને પસંદ કર્યુ હતુ. 2 દિવસ સુધી તેમણે ચીનના પ્રેસિડન્ટ સાથે ત્યાં લાંબી વાતચીત કરવા ઉપરાંત આ ઐતિહાસિક સ્થળથી તેમણે પરિચિત પણ કરાવ્યા.
રવિવારે પ્રધાનમંત્રીએ મહાબલીપુરમમાં લખેલી પોતાની એક કવિતા શૅર કરી છે. તેમણે લખ્યુ કે, ''ગઈકાલે મહાબલીપુરમમાં સવારે કિનારે ફરતા-ફરતા સાગર સાથે સંવાદ કરવામાં ખોવાઇ ગયો. આ સંવાદ મારું ભાવ વિશ્વ છે.''
कल महाबलीपुरम में सवेरे तट पर टहलते-टहलते सागर से संवाद करने में खो गया।
તેમણે આગળ લખ્યુ કે, આ સંવાદ ભાવને શબ્દબદ્ઘ કરી તમારી સાથે શૅર કરી રહ્યો છું. પીએમ મોદીની હે... સાગર! તને મારા પ્રણામ! કવિતાને જાણીતા ભજન ગાયક પંકજ ઉદાસે વખાણી છે. તેમણે લખ્યું કે,''અદ્બુત સંદેશની સાથે અદ્ભુત અભિવ્યકિત.'''
સોશ્યલ મીડિયા પર લોકોએ પ્રધાનમંત્રી કવિતાને ઘણી પસંદ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમિલનાડુના મહાબલીપુરમમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત માટે પહોંચ્યા છે. શનિવારે સવારે મહાબલીપુરમના દરિયાઈ કિનારે તેમણે 30 મિનિટનું જોગિંગ કર્યું હતું. આ દરમિયાન તેમણે દરિયા કિનારાની સફાઈ માટે કચરો પણ ઉપાડ્યો હતો. વડાપ્રધાને લોકોને જાહેર જગ્યાઓને સાફ રાખવાની અપીલ કરી હતી. જોગિંગ કરતાં કરતાં કચરો ઉપાડવાને પ્લોગિંગ કહેવામાં આવે છે.
Plogging at a beach in Mamallapuram this morning. It lasted for over 30 minutes.
Also handed over my ‘collection’ to Jeyaraj, who is a part of the hotel staff.
Let us ensure our public places are clean and tidy!
નોંધનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અભિયાનનો ઉલ્લેખ 29 સપ્ટેમ્બરે મન કી બાતના કાર્યક્રમમાં પણ કર્યો હતો. PM મોદીએ મન કી બાતમાં જણાવ્યું હતું કે, ''દેશમાં એક નવયુવક રિપુદમન બેલ્વી એક અનોખો પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ પ્લોગિંગ (જોગિંગ કરતાં કચરો ઉપાડવો) કરે છે. પહેલીવાર જ્યારે તેમણે પ્લોગિંગ શબ્દ સાંભળ્યો ત્યારે તેમને પણ નવાઈ લાગી હતી. રિપુદમને આ શબ્દને ખૂબ પ્રચારિત કર્યો છે.''