ટીમ ઇન્ડિયાની મિશન વર્લ્ડ કપની શરૂઆત થઇ ચૂકી છે. સાઉથ આફ્રિકા વિરુદ્ઘ ટીમ ઇન્ડિયાએ શાનદાર શરૂઆત કરી છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપ માટે શુભકામનાઓ આપી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપ માટે શુભકામના આપતા કહ્યુ કે, ''રમત પણ જીતો અને દિલ પણ.''
પોતાના ટ્વીટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યુ કે, ''આજે જ્યારે ટીમ ઇન્ડિયાએ પોતાના મિશનની શરૂઆત કરી રહી છે, ત્યારે હું ટીમને શુભકામનાઓ આપુ છું. આશા છે કે આ ટૂર્નામેન્ટમાં સારુ ક્રિકેટ અને સ્પોર્ટ્સમેનશિપ જોવા મળશે. રમત પણ જીતો અને દિલ પણ.''
As #TeamIndia begins it’s #CWC19 journey today, best wishes to the entire Team.
May this tournament witness good cricket and celebrate the spirit of sportsmanship.
તમને જણાવી દઇએ કે, આ પહેલા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ખિલાડીઓની સાથે મુલાકાત કરતા રહે છે પછી તે ક્રિકેટ હોય, ઓલમ્પિક હોય કે પછી એશિયન ગેમ્સ હોય.
ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીના નેતૃત્વમાં આ વખતે ટીમ ઇન્ડિયા ઇતિહાસ રચવા માટે ઉતરી છે. પહેલી મેચ આજે સાઉથ આફ્રિકા વિરુદ્ઘ શરૂ થઇ ગઇ છે.
સાઉથ આફ્રિકાની મેચ પછી ટીમ ઇન્ડિયાની મેચ 9 જૂનના ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ રમાશે. આ પછી તમામ લોકોની નજર 16 જૂનના થનારા ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર હશે. વર્લ્ડપકમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન વિરુદ્ઘ રેકોર્ડ શાનદાર રહ્યો છે. ટીમ ઇન્ડિયાએ 1983 અને 2011માં વર્લ્ડ કપ જીતી છે, એવામાં કોહલી પાસે ફરી એક વખત ઇતિહાસ રચવાનો મૌકો છે.