દેશભરમાં જમ્મૂ-કાશ્મીરથી લઇને કન્યાકુમાર સુધી ઇદ-ઉલ-અજહાની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશવાસીઓને ઇદ-ઉલ-અજહાની શુભેચ્છા પાઠવી છે.
દેશભરમાં આજે ઇદ-ઉલ-અજહાનું ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને ઇદ-ઉલ-અજહાની શુભકામના પાઠવી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઇદ-ઉલ-અજહાના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે ટવિટર માધ્યમથી જણાવ્યું કે ઇદ-ઉલ-અજહાના અવસર પર દરેક દેશવાસીઓ, વિશેષકરીને મુસ્લીમ ભાઇ અને બહેનોને શુભેચ્છા. ઇદ-ઉલ-જુહા પ્રેમ, ભાઇચારો અને માનવ સેવાનું પ્રતીક છે.
ईद-उल-जुहा के अवसर पर सभी देशवासियों विशेषकर हमारे मुस्लिम भाइयों और बहनों को बधाई और शुभकामनाएं।
ईद-उल-जुहा प्रेम, भाईचारे और मानव सेवा का प्रतीक है।
आइए हम स्वयं को इन सार्वभौमिक जीवन मूल्यों के प्रति समर्पित करें जो हमारी संस्कृति की अमूल्य धरोहर है — राष्ट्रपति कोविन्द
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટવિટર માધ્યમથી દેશવાસીઓના અવસર પર શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ ટવિટર માધ્યમથી કહ્યું કે મને આશા છે કે આ તહેવાર આપણા સમાજમાં શાંતિ અને ખુશીની ભાવના વધારશે. ઇદ મુબારક.
My best wishes on the occasion of Eid al-Adha. I hope it furthers the spirit of peace and happiness in our society. Eid Mubarak!