પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગાંધી જયંતિના પ્રસંગે વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક(વૈભવ) શિખર સમ્મેલનનું ઉદ્ઘાટન કરશે. આ સમ્મેલન વૈશ્વિક અને પ્રવાસી ભારતીય અનુસંધાનકર્તાઓ અને શિક્ષાવિદોને એક પ્લેટફોર્મ પુરુ પાડશે.
સંમેલનનો ઉદ્દેશ ભારતીય મૂળના દિગ્ગજોને એક મંચ પર લાવવાનું છેઃ PMO
55 દેશના ભારતીય મૂળના 3 હજારથી વધુ વૈજ્ઞાનિકો સંમેલનમાં જોડાશે
10 હજારથી વધુ પ્રવાસી વૈજ્ઞાનિક અને શિક્ષાવિદ પણ સામેલ થશે
પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આ સમ્મેનનો હેતુ ભારતીય મૂળના દિગ્ગોને એક પ્લેટફોર્મ પર લાવવાનો છે, જે દુનિયા ભરની એકેડમીક અને શોધ સંસ્થાઓ સાથે જોડાયેલા છે. પ્રધાનમંત્રી વીડિયો કોન્ફરન્સના માઘ્યમથી 2થી 31 ઓક્ટોબર સુધી ચાલનારા આ સમ્મેલનનું ઉદ્ધાટન કરશે.
પીએમ એ ટ્વીટ કરી કહ્યું કે વૈભવ શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે ઉત્સુક છે. આ સમ્મેલન ભારતીય મૂળના વૈશ્વિક વૈજ્ઞાનિકો અને શોધકર્તાઓને સાથે લાવવાનો છે. 2 ઓક્ટોબરની સાંજે 6.30 વાગે તમે પણ જોડાઓ.’
Looking forward to tomorrow’s Vaibhav Summit, which brings together scientists as well as researchers from the Indian diaspora.
આજથી 31 ઓક્ટોબર સુધી ચાલનારા આ સંમેલનમાં 55 દેશના ભારતીય મૂળના 3 હજારથી વધુ વૈજ્ઞાનિકો જોડાશે. 10 હજારથી વધુ પ્રવાસી વૈજ્ઞાનિક અને શિક્ષાવિદ પણ સામેલ થશે