પ્રધાનમંત્રી મોદીએ સોમવારે તેમના નિવાસસ્થાન ટોચના કેન્દ્રીય મંત્રીઓની બેઠક બોલાવી. બેઠકમાં મંત્રીઓના કામકાજ અંગે ચર્ચા થઈ હોવાનું જણાવાય છે.
પ્રધાનમંત્રી મોદીએ તેમના નિવાસસ્થાને બોલાવી બેઠક
અમિત શાહ, રાજનાથસિંહ, નીતિન ગડકરી હાજર રહ્યાં
પ્રધાનમંત્રીએ 24 મંત્રીઓના કામકાજની કરી સમીક્ષા
કેબિનેટ વિસ્તરણની જાહેરાત થઈ શકે છે
પીએમ મોદીએ બોલાવેલી બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ, પરિવહન મંત્રી નીતિન ગડકરી તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહ્યાં.પીએમ મોદીએ કેબિનેટ વિસ્તરણ અને ફેરફાર માટે મંત્રીઓના કામકાજની સમીક્ષા માટે બેઠક બોલાવી હોવાનું ચર્ચાય છે. થોડા સમયમાં કેબિનેટ વિસ્તરણની પણ જાહેરાત થઈ શકે છે.
સંસદના મોનસૂન સત્રને લઈને પ્રધાનમંત્રી મોદીએ બેઠક બોલાવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે
સંસદના મોનસૂન સત્રને લઈને પ્રધાનમંત્રી મોદીએ બેઠક બોલાવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કારણ કે સંસદના મોનસૂન સત્ર પહેલા કેન્દ્રીય કેબિનેટમાં ફેરફારની ચર્ચા ચાલી રહી છે. મોદી તેમના મંત્રીઓના કામકાજની સમીક્ષા કરી રહ્યાં છે.
24 મંત્રીઓના કામકાજની સમીક્ષા કરી
સૂત્રોના જણાવ્યાનુસાર મોદીએ અત્યાર સુધી લગભગ 24 મંત્રીઓના કામકાજની સમીક્ષા કરી લીધી છે. થોડા વખતમાં તમામ મંત્રાલયોના કામકાજની સમીક્ષા પૂરી કરી લેવામાં આવશે.
હાલમાં મોદી સરકારમાં 60 મંત્રીઓ છે જ્યારે બંધારણ અનુસાર મંત્રીમંડળની સંખ્યા 79 સુધી હોઈ શકે છે. ઘણા મંત્રીઓ બે થી ત્રણ મંત્રાલયોની જવાબદારી સંભાળી રહ્યાં છે.