PM મોદી આજે એટલે કે 10 ડિસેમ્બર અને ગુરુવારે બપોરે 1 વાગે નવા સંસદ ભવનના નિર્માણને માટે આધારશિલા રાખશે. બ્રિટિશ કાળમાં બનેલા હાલના સંસદ ભનની પાસે નવું સંસદ ભવન બનવા જઈ રહ્યું છે. દૂરદર્શન અને લોકસભા ટીવી આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરશે. સંસદ ભવનના શિલાન્યાસ સમારોહમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના સંદેશ વંચાશે. PM મોદી સભાને સંબોધિત કરશે અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ પોતાનું સંબોધન આપશે.
PM મોદી રાખશે સંસદભવનની આધારશિલા
સમારોહની શરૂઆત બપોરે 1 વાગે કરાશે
દૂરદર્શન અને લોકસભા ટીવી પર આ કાર્યક્રમ પ્રસારિત કરાશે
શિલાન્યાસ સમારોહ આ રીતે યોજાશે
શિલાન્યાસ સમારોહમાં કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી વેલકમ સ્પીચ આપશે. સાથે સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી ધન્યવાદ પ્રસ્તાવ આપશે. સમારોહની શરૂઆત 1 વાગે થશે અને PM મોદી ભૂમિપૂજન કરશે. આ પછી 1.30 વાગે સર્વધર્મ પ્રાર્થના થશે. હાલમાં લોકસભા અધ્યક્ષે પીએમ આવાસ પહોંચીને તેમને ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્ય અતિથિના રૂપમાં આમંત્રણ આપ્યું છે.
નવા સંસદભવનને લઈને ઓમ બિરલાએ કહી આ વાત
નવા સંસદભવનને લઈને ઓમ બિરલાએ કહ્યું કે આ ભવન આત્મનરિભર ભારતનું એક એવું મંદિર હશે જે રાષ્ટ્રની વિવિધતા દેખાડશે. તેને 971 કરોડ રૂપિયાના ખર્ચે 64500 વર્ગમીટરમાં બનાવાશે. આ જૂના સંસદ ભવનથી 17000 વર્ગમીટર મોટું હશે. નવા સંસદ ભવનને બનાવવા માટે ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડને ઠેકા પર અપાયું છે. સાથે તેની ડિઝાઈન એચસીપી ડિઝાઈન, પ્લાનિંગ અને મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરાયું છે.
નવા સંસદભવનમાં લોકસભા સાંસદ માટે લગભગ 888 સીટ અને રાજ્યસભા સાંસદ માટે 326 થી વધારે સીટ હશે. એટલું નહીં લોકસભા હોલમાં એક સાથે હજારથી વધારે સભ્યો ભેગા થઈ શકે છે. આ સિવાય નવા સંસદભવનમાં એક ભવ્ય સંવિધાન કક્ષ હશે. કુલ મળીને સંસદભવનની તસવીર બદલાશે.