ચૌરીચૌરા શતાબ્દી મહોત્સવનું આજથી ભવ્ય સ્વાગત થશે.. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહોત્સવનું વર્ચુઅલ ઉદ્ઘાટન કરીને પોસ્ટ ટિકિટ પણ જાહેર કરશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં મહોત્સવની શરૂઆત થશે.
ચૌરીચૌરા શતાબ્દી મહોત્સવ
PM મોદી મહોત્સવનું કરશે ઉદ્ઘાટન
શહીદોની યાદમાં સમગ્ર વર્ષ આયોજન
શહીદો, સ્વતંત્રતા સેનાનીના પરિવારોને સમ્માન
મળતી માહિતી અનુસાર આ મહોત્સવને લઈને ગઈકાલથી તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અને સમગ્ર ગોરખપુરને તૈયાર કરી દેવાયું છે. રાજ્યપાલ આનંદી બેન પટેલ પણ વર્ચ્યુઅલ રીતે સમારોહમાં જોડાશે. કાર્યક્રમમાં પીએમ મોદીનું સંબોઘન પણ રહેશે.
ચૌરીચૌરા શહીદોના સમ્માનમાં યોજાશે સૌથી મોટો કાર્યક્રમ
સમગ્ર વર્ષ દરમિયાન ચાલશે. અને અલગ અલગ દિવસ કાર્યક્રમ યોજાશે. ચૌરીચૌરા ઘટનાને 100 વર્ષ પૂર્ણ થવાના અવસર પર ગોરખપુર સહિત પ્રદેશમાં તમામ જિલ્લામાં કાર્યક્રમ થશે. ચૌરીચૌરા શહીદોના સમ્માનમાં અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ યોજાશે. શહીદો અને સ્વતંત્રતા સંગ્રામ સેનાનીઓના પરિવારજનોને સમ્માનિત કરવામાં આવશે.
प्रधानमंत्री नरेंद्र मोदी आज वीडियो कॉन्फ्रेंसिंग के जरिए उत्तर प्रदेश के गोरखपुर में चौरी-चौरा शताब्दी समारोह का उद्घाटन करेंगे। pic.twitter.com/UQuFybCNPk
શહીદ સ્મારક પાસે કાર્યક્રમના સ્થળે મુખ્ય મંચ પર એલઈડી સ્ક્રીન હશે. સંબોધન અને શહીદોની યાદમાં પોસ્ટ ટિકિટ જાહેર કરતાં પીએમ મોદી સ્ક્રીન પર દેખાશ. લોકોને બેસવા માટે 5000 ખુરશીઓ હશે. ડીપીઆરઓની દેખરેખમાં સફાઈ કર્મીઓની ટીમ પણ કામ કરશે.
આવી રીતે ઘટી હતી ઘટના
ચૌરીચૌરાની ઘટના 4 ફેબ્રુઆરી 1922માં ઘટી હતી., ચૌરીચૌરાના ભોપા બજારમાં સત્યાગ્રહીએ એકઠા થયા હતા. જ્યાં એક સિપાહીએ ગાંધી ટોપીને પગ નીચે કચડી હતી. જેથી સત્યાગ્રહીઓ રોષે ભરાયા હતા. અને પોલીસકર્મીઓ સાથે ઘર્ષણ થયું હતું. જેમાં પોલીસે ફાયરિંગ કરતા 3 સત્યાગ્રહી શહીદ થયા હતા. અને 50થી વધુ ઘાયલ થયા હતા. ક્રાંતિકારીઓએ પોલીસ ચોકીને આગ ચાંપી દેતા 23 પોલીસકર્મીના મૃત્યુ થયા હતા. આ ઘટના બાદ 19 લોકોને ફાંસીની સજા ફટકારાઈ હતી.