પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનો 70મો જન્મ દિવસ મનાવવા માટે ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ સોમવારે રાત્રે 11 કલાકે અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકે આવી પહોંચશે. જ્યાં તેમનું રાજ્ય સરકાર દ્વારા સ્વાગત કરવામાં આવશે.
જન્મદિવસે પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં
16 સપ્ટેમ્બરે રાત્રે આવશે અમદાવાદ
17 સપ્ટેમ્બરે હિરાબાના લેશે આશિર્વાદ
નર્મદાના નવા નીરના કરશે વધામણાં
શું રહેશે PM મોદીનો કાર્યક્રમ
નોંધનીય છે કે, જન્મદિવસના એક દિવસ પહેલા 16 સપ્ટેમ્બરેની રાતે ગુજરાત આવી પહોંચશે. ત્યારબાદ તેઓ અમદાવાદથી પાટનગર ખાતે આવેલ રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી મોદીનો જન્મદિવસ હોવાથી તેઓ સવારે માતા હીરાબાના આશીર્વાદ લઈને સીધા સરદાર સરોવર નર્મદા ડેમ પહોંચશે. ત્યાં નર્મદાના નવા નીરના વધામણાં કરવાના છે તથા મા રેવાની આરતી પણ ઉતારશે.
રાજ્ય સરકાર આપશે ઐતિહાસિક ભેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસે નર્મદા સરદાર સરોવર ડેમની મુલાકાત લેવાના છે. જેને લઈને 17 સપ્ટેમ્બરના રોજ નર્મદા ડેમ તેની ઐતિહાસિક 138.68 મીટરની સપાટીએ ભરવામાં આવશે. ડેમ સંપૂર્ણ ભરી PM મોદીને જન્મદિવસની ભેટ ગુજરાત દ્વારા આપવામાં આવશે. આ દિવસ ગુજરાત માટે ઈતિહાસ બની જશે.
ભાજપની પ્રદેશ કક્ષાની બેઠક મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં મળી હતી. બેઠકમાં પીએમ નરેન્દ્રમોદીના જન્મદિવસની ઉજવણીના કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. સંગઠન પર્વ, સદસ્યતા અભિયાન, કલમ 370 મુદ્દે જનજાગૃતિ અભિયાન સહિતના કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી. સાત વિધાનસભા બેઠકો માટે યોજાનારી પેટા ચૂંટણીની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, 17 સપ્ટેમ્બરના પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં એકસાથે નર્મદે સર્વદે મહાઆરતી યોજાશે.
સુરતમાં જન્મદિવસની વિશેષ રીતે થશે ઉજવણી
સુરતમાં PM મોદીનો જન્મદિવસ વિશેષ રીતે ઉજવાશે. એક સાથે 370 સ્થળો પર PMની કેક કપાશે અને આદિવાસી બાળકોને પૌષ્ટિક આહાર અપાશે. PMનો જન્મદિવસ દર વર્ષની જેમ ઉલ્લાસથી ઉજવવામાં આવશે.