આજે પ્રધાનમંત્રી મોદીએ બોલાવી સર્વદળીય બેઠક બોલાવી છે. મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે પ્રધાનમંત્રીએ બેઠક બોલાવી છે. બેઠકમાં મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી મુદ્દે ચર્ચા થઈ શકે છે.
આ નેતાઓ નહીં જોડાય વડાપ્રધાનની બેઠકમાં
ઉલ્લેખનીય છે કે, બેઠકમાં ખાસ વન નેશન, વન ઇલેક્શન મુદ્દે ચર્ચા કરવામાં આવી શકે છે. જોકે આ મુદ્દાને લઈને મમતા બેનરજીએ બેઠકમાં ભાગ લેવાનો ઇન્કાર કર્યો છે. વન નેશન, વન ઇલેક્શનને લઈને મમતા બેનરજીએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
આ સાથે જ આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડૂ પણ આ બેઠકમાં સામેલ થશે નહી. તો આ સાથે જ આજે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીનો 49 મો જન્મદિવસ છે જેને લઇને તેમના બેઠકમાં જવા અંગે સસ્પેન્શ યથાવત છે.
શું છે મુખ્ય એજન્ડા
આપને જણાવી દઇએ કે, આજરોજ યોજાનાર આ બેઠકમાં 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' મુદ્દે પર, 2022માં ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા અને મહાત્મા ગાંધીના 150મી જયંતીના વર્ષના વિષય પર ખાસ ભાર મુકવામાં આવશે. એમણે કહ્યું કે ત્યાર બાદ લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદોની સાથે 20 જૂને રાત્રિ ભોજન પર બેઠક થશે. જેમા તમામ સરકાર સાથે મુક્ત સંવાદ કરવામાં આવશે.