વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય દક્ષિણ કોરિયાની મુલાકાતે છે. પીએમ મોદીએ આજે સિયોલ પહોંચ્યા છે. જેમાં વડાપ્રધાન મોદીએ સિયોલમાં ફરી એકવાર આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો છે.
પીએમ મોદીએ જણાવ્યું કે પુલવામા થયેલા આતંકી હુમલા બાદ રાષ્ટ્રપતિ મૂ જે ઇને સંવેદના અને સમર્થન આપવાનો સંદેશ આપ્યો તે બદલ હું તેમનો આભારી છું. પીએમ મોદીએ કહ્યું કે અમે આતંકવાદ વિરુધ્ધ પોતાના દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય સહયોગ તથા સમન્વયને વધુ મજબૂત બનાવવા કટિબદ્ધ છીએ.
ભારતના ગૃહમંત્રાલય અને કોરિયાની રાષ્ટ્રીય પોલીસ એજન્સીઓ વચ્ચે એમઓયુ સંપન્ન થયા. અમે એમઓયુ દ્વારા કાઉન્ટર ટેરરિઝના સહયોગને વધુ આગળ વધારીશું.
સિયોલમાં પીએમ મોદીએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે વૈશ્વિક સમુદાય વાતોથી આગળ વધે અને આતંકવાદ જેવી સમસ્યાના વિરોધમાં એકજૂટ થઇને કાર્યવાહી કરે. આ સાથે પીએમ મોદીને સિયોલ શાંતિ સમ્માન પણ મળવા જઈ રહ્યુ્ં છે ત્યારે તેમણે કહ્યું કે આ સમ્માન મારા માટે બહુ મોટુ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ કોરિયાના પ્રવાસના બીજા દિવસે અહીં શહીદોને શ્રધ્ધાંજલી આપી. ત્યારબાદ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇન સાથે મુલાકાત કરી.