પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારે લેહની સરપ્રાઇઝ મુલાકાત લીધી અને જવાનોને મળીને તેમનો ઉત્સાહ વધાર્યો. આ દરમિયાન લેહ સ્થિત હોસ્પિટલની પણ તેમણે મુલાકાત લીધી અને ત્યાં સારવાર લઇ રહેલા જવાનોના ખબર અંતર પૂછ્યા હતા. આ દરમિયાન હોસ્પિટલમાં લેવાયેલી તસવીરનો લઇને સોશિયલ મીડિયા પર વિવાદ છંછેડાયો હતો અને હેઝટેગ મુન્નાભાઇ એમબીબીએસ વાયરલ થયો હતો.
આ તમામ બાબત વચ્ચે રક્ષા મંત્રાલયે આ મુદ્દે ખુલાસો કર્ય હતો કે, 3 જુલાઇના રોજ લેહની જનરલ હોસ્પિટલની મુલાકાતને લઇને પ્રધાનમંત્રી મોદી પર કેટલાક લોકોએ પાયાવિહોણો આક્ષેપ કર્યા હતા. ત્યાર આ બાબત સ્પષ્ટ છે કે, પ્રધાનમંત્રી મોદી જે હોસ્પિટલની મુલાકાતે ગયા હતા તે હોસ્પિટલનો એક હિસ્સો જ હતો.
મંત્રાલયે કહ્યું હોસ્પિટલનો જ એક ભાગ
મંત્રાલયે કહ્યું, "તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે સશસ્ત્ર દળો સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે તે અંગે શંકા કરવામાં આવે છે." સશસ્ત્ર દળો તેમના કર્મચારીઓને શ્રેષ્ઠ સારવાર પ્રદાન કરે છે. સ્પષ્ટતા કરવામાં આવી છે કે પીએમ દ્વારા મુલાકાત લેવાયેલી સુવિધા જનરલ હોસ્પિટલનો એક ભાગ છે. કોરોના સંકટને ધ્યાનમાં રાખીને અહીં 100 પથારીનું સંચાલન કરવામાં આવ્યું હતું.
ગઇકાલે લેહની મુલાકાતે પહોંચ્યા હતા પ્રધાનમંત્રી મોદી
પ્રધાનમંત્રી ગઇકાલે સવારે લગભગ 9.30 વાગે લેહ પહોંચ્યા હતા. એ બાદ તેમણે 11 હજાર ફીટની ઉંચાઈ પર સ્થિત નીમૂમાં ભૂમિ દળ, વાયુસેના અને ઈન્ડો તિબ્બત સુરક્ષા દળ (આઈટીબીપી)ના જવાનો સાથે વાતચીત કરી હતી. આ સાથે સીમા પરની સ્થિતિનું નિરિક્ષણ કર્યુ હતુ.
તેમની મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદીએ ચીનને પણ જોરદાર સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે વિસ્તરણવાદનો યુગ પૂરો થયો. આ યુગ ઉત્ક્રાંતિવાદનો છે. આખું વિશ્વ તેની વિરુદ્ધ પોતાનું મન બનાવે છે. ઇતિહાસમાં વિસ્તરણવાદે માનવતાનું સૌથી વધુ નુકસાન કર્યું છે. તેમણે કહ્યું કે જો કોઈ વિસ્તરણવાદનો આગ્રહ રાખે છે, તો તે હંમેશાં વિશ્વ શાંતિ માટે ખતરો છે. ઇતિહાસ બતાવે છે કે આવી તાકાતો નષ્ટ થઈ ગઈ છે.