બાંગ્લાદેશમાં પણ કોરોનાનો કહેર સતત વ્યાપી રહ્યો છે ત્યારે PM મોદીનો 17 માર્ચનો બાંગ્લાદેશનો પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. કોરોના વાયરસના કારણે બાંગ્લાદેશની સરકારે આ નિર્ણય લીધો હતો. હાલમાં જ બાંગ્લાદેશમાં કોરોનાના 3 પોઝિટિવ કેસ મળતાં શેખ મુજીબ ઉર રહમાન જયંતિ સમારોહ રદ્દ કરવામાં આવ્યો છે. આ સાથે જ પ્રધાનમંત્રી મોદીએ બ્રસેલ્સની યાત્રા પણ રદ્દ કરી છે. કોરોનાના કારણે અગાઉ PM મોદીનો ચીનનો પ્રવાસ પણ કેન્સલ થઈ ચૂક્યો છે.
PM મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ થયો રદ
કોરોના વાયરસના કારણે વિદેશ પ્રવાસ રદ કરાયો
17 માર્ચે PM મોદી જવાના હતા બાંગ્લાદેશ
ચીનમાંથી દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસને લઈને અનેક આયોજન કેન્સલ થયા છે. આ સમયે બાંગ્લાદેશે પણ કોરોનાથી બચવા માટે તકેદારીના ભાગ રૂપે શેખ મુજીબ ઉર રહમાનની જયંતિનો સમારોહ પણ કેન્સલ કર્યો છે. PM મોદીઆ સમારોહમાં મુખ્ય વક્તા હતા પરંતુ હાલમાં જ તેમને જાણકારી આપવામાં આવી છે કે અહીંનો તેમનો પ્રવાસ કેન્સલ થયો છે.
17 માર્ચે PM મોદી જવાના હતા બાંગ્લાદેશ
PM મોદી 17 માર્ચે બાંગ્લાદેશ જવાના હતા પરંતુ કોરોનાના કારણે તેમને પ્રવાસ રદ્દ કરવો પડ્યો હતો. સેલિબ્રેશન કમિટીના ચેરમેન કમાલ અબ્દુલ ચૌધરીએ બાંગ્લાદેશ સરકારના નિર્ણયને કેન્સલ કરવાની જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે રવિવારે બાંગ્લાદેશમાં કોરોનાના 3 પોઝિટિવ કેસ નોંધાયા છે.
કોરોના વાયરસના કારણે વિદેશ પ્રવાસ રદ કરાયો
આ મહિનામાં જ PM મોદી બ્રસેલ્સમાં પણ યૂરોપિયન યૂનિયનના સંમેલનમાં ભાગ લેવા જવાના હતા. પરંતુ કોરોનાના કારણે તેને પણ રદ્દ કરવામાં આવ્યો હતો. આ સાથે જ અનેક કેન્દ્રીય મંત્રી અને નેતા હોળીના મિલન કાર્યક્રમોમાં પણ હાજરી આપશે નહીં.