PM મોદીએ કોલકત્તા પોર્ટના 150મા સ્થાપના દિવસને લઈને કહ્યું કે દરેક કર્મચારીઓ અને અધિકારીઓને અભિનંદન. આ સાથે જ તેઓએ જાહેરાત કરી કે હવેથી શ્યામાપ્રસાદ મુખર્જીના નામથી કોલકત્તા પોર્ટ ઓળખાશે. PMએ પોર્ટ ટ્રસ્ટથી રિટાયર્ડ કર્મચારીઓને પેન્શનને માટે પણ 500 કરોડ રૂપિયાનો ચેક સોંપ્યો.
કોલકત્તા પોર્ટના 150મા સ્થાપના દિવસ
PM મોદીએ કરી આ જાહેરાત
હવે શ્યામાપ્રસાદ મુખર્જીના નામથી ઓળખાશે કોલકત્તા પોર્ટ
આંબેડકરના સૂચનો પર સરકારે ન કર્યો અમલઃ PM મોદી
PM મોદીએ કહ્યું કે આજે આ અવસરે હું બાબા સાહેબ આંબેડરને પણ યાદ કરું છું અને તેમને નમન કરું છું. ડોક્ટર મુખર્જી અને બાબા સાહેબ બંનેને સ્વતંત્રતા બાદના ભારતને માટે નવી નીતિઓ આપી હતી. નવું વિઝન આપ્યું હતું. પણ દેશનું દુર્ભાગ્ય રહ્યું કે ડોક્ટર મુખર્જી અને ડોક્ટર બાબા સાહેબે સરકારથી હટ્યા બાદ તેમના સૂચન પર અમલ કર્યો નહીં જેના માટે તે જાણીતા હતા.
શ્યામા પ્રસાદ મુખર્જીના નામે છે કોલકત્તા પોર્ટ ટ્રસ્ટ
PM મોદીએ કહ્યું કે કોલકત્તાનો આ પોર્ટ ભારતની ઓદ્યોગિક, આધ્યાત્મિક અને આત્મનિર્ભરતાની આકાંક્ષાનું પ્રતીક છે. એવામાં જ્યારે આ પોર્ટ 150મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારે તેને ન્યૂ ઈન્ડિયાના નિર્માણનું એક પ્રતીક બનાવવું જરૂરી છે. PM મોદીએ કહ્યું કે પશ્ચિમ બંગાળની દેશની આ ભાવનાને નમન કરું છું. કોલકત્તા પોર્ટ ટ્રસ્ટનું નામ, ભારતના ઔદ્યોગિકરણની પ્રણણેતા, બંગાળના વિકાસનું સપનું લઈને જીવનારા અન્ય એક દેશ, એક વિધાનને માટે બલિદાન આપનારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના નામ પર કરવાની જાહેરાત કરું છું.
PM Narendra Modi at the inauguration of 150th anniversary celebrations of Kolkata Port Trust: This port will now be known as Syama Prasad Mukherjee port. #WestBengalpic.twitter.com/CEuzDWt8E0
દુનિયા પર છાપ છોડનારા જ્ઞાનવાહકોના ચરણ પડ્યા છે અહીંઃ PM મોદી
PM મોદીએ કહ્યું કે મા ગંગાના સાનિધ્યમાં ગંગાસાગરની નજીક દેશની જળશક્તિના ઐતિહાસિક પ્રતીક પર આ સમોરોહનો ભાગ બનવાના સૌભાગ્યની વાત કરી છે. PM મોદીએ કહ્યું કે કોલકત્તા પોર્ટના વિસ્તાર અને આધુનિકીકરણને માટે આજે સેંકડો કરોડ રૂપિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરાયો છે. આદિવાસી દીકરીઓની શિક્ષા અને વિકાસ માટે હોસ્ટેલ અને સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરનો શિલાન્યાસ થયો છે. PM મોદીએ કહ્યું કે આ પોર્ટ ફક્ત માલવાહકોનું સ્થાન રહ્યું નથી પણ દેશ અને દુનિયા પર છાપ છોડનારા અને જ્ઞાનવાહકોના ચરણ પણ અહીં પડ્યા છે.