દેશમાં અનેક ઉપાયો કરવા છતાં પણ કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવી રહ્યું નથી. આ સમયે પ્રધાનમંત્રી મોદી સૌથી વધારે પ્રભાવિત 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરશે. આ બેઠકમાં કોરોનાને કાબૂમાં લેવા માટેની સંભાવનાઓની ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની આ બેઠકમાં આંધ્રપ્રદેશ, બિહાર, ગુજરાત, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, તમિલનાડુના CM હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી કોરોના વાયરસની સ્થિતિને લઈને 8 સૌથી વધારે પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. તેમાં અનેક રાજ્યોના કામને પણ પીએમ મોદીએ વખાણ્યા છે. આ વખતે પીએમ મોદીની રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે દેશમાં કોરોનાની સંખ્યા 22 લાખને પાર થઈ છે. છેલ્લા 24 કલાકના આંક પર નજર કરીએ તો કોરોનાના 53600 નવા કેસ આવ્યા છે. જ્યારે 871 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
प्रधानमंत्री नरेंद्र मोदी आज कोरोना वायरस की स्थिति पर चर्चा करने के लिए आंध्र प्रदेश, कर्नाटक, तमिलनाडु, पश्चिम बंगाल, महाराष्ट्र, पंजाब, बिहार, गुजरात, तेलंगाना और उत्तर प्रदेश के मुख्यमंत्रियों के साथ वीडियो कॉन्फ्रेंस के जरिए चर्चा करेंगे। pic.twitter.com/cvSUNogPtI
આંધ્રપ્રદેશ, બિહાર, ગુજરાત, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ આ 8 રાજ્યો એવા છે જ્યાં કોરોના મહામારીથી 2000થી વધારે લોકોના મોત થયા છે. અરુણાચલ, મિઝોરમ, સિક્કિમ એવા રાજ્યો છે જ્યાં 5 લોકોના જીવ ગયા છે. અરુણાચલમાં 3, સિક્કિમમાં 1નું મોત થયું છે. મિઝોરમમાં આ બિમારીથી કોઈનું મોત થયુ નથી.