પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે રાતે કાશીનાં રસ્તાઓ નીકળ્યા હતા અને રેલવે સ્ટેશન અને કોરિડોરમાં ચાલી રહેલ કામકાજની સમીક્ષા કરવા માટે ઓચિંતી મુલાકાત લીધી હતી.
પીએમ મોદી મોડી રાતે કાશીમાં નીકળ્યા
સીએમ યોગી સાથે બનારસ રેલવે સ્ટેશન પહોંચ્યા
કાશીમાં ચાલી રહેલ વિકાસ કાર્યોની કરી સમીક્ષા
પ્રધાનમંત્રી મોદી અચાનક ગલીઓમાં નીકળી પડ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઇકાલથી યુપીના કાશીના પ્રવાસ પર છે, કાશીમાં બાબા વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તથા આખો દિવસ અધ્યાત્મમાં પીએમ મોદી લીન રહ્યા. ગંગા આરતી બાદ અડધી રાતે અચાનક પીએમ મોદી ફરીથી કાશીની ગલીઓમાં નીકળી પડ્યા હતા. સીએમ યોગી પણ સાથે હતા, પીએમ મોદીએ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી.
Inspecting key development works in Kashi. It is our endeavour to create best possible infrastructure for this sacred city. pic.twitter.com/Nw3JLnum3m
રેલવે સ્ટેશન પર ચાલી રહેલા કામ પર સમીક્ષા કરી
સોમવારે રાતે બનારસ રેલવે સ્ટેશન પહોંચીને પીએમ મોદીએ કહ્યું કે નેક્સ્ટ સ્ટેશન બનારસ. આ સિવાય પીએમ મોદીએ ફરીથી કોરિડોરનો પણ પ્રવાસ કર્યો અને ચાલી રહેલા કામ પર નજર નાંખી. મોડી રાતે પીએમ મોદીએ તસવીરો શેર કરી હતી.
Next stop…Banaras station. We are working to enhance rail connectivity as well as ensure clean, modern and passenger friendly railway stations. pic.twitter.com/tE5I6UPdhQ
આજે પીએમ મોદીની પાઠશાળા
પ્રધાનમંત્રી મોદીનો આજે કાશી પ્રવાસનો બીજો દિવસ છે, ગુજરાતનાં ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રી કાશી પહોંચી ગયા છે. તમામ મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રી મોદી બેઠક કરશે અને વિવિધ મુખ્યમંત્રીઓ તેમના રાજ્યોમાં શું કામ કરી રહ્યા છે તે જણાવશે. કાલે રાતે પણ મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રી મોદીએ ચર્ચા કરી હતી. નોંધનીય છે કે પ્રધાનમંત્રી ભાજપ સરકારોનું આખું રિપોર્ટ કાર્ડ જોવા માંગે છે, જેમા એક એક કરીને તમામ મુખ્યમંત્રીઓ પોતપોતાનું પ્રેઝેન્ટેશન કરશે. તમામ મુખ્યમંત્રીઓને સૂચના આપવામાં આવી છે કે તે પોતાના રાજ્યોમાં કરેલ કામગીરી વિશે જણાવે. કાશીમાં થનાર આ સંમેલનમાં બિહાર અને નાગાલેંડનાં ડેપ્યુટી સીએમ પણ જોડાવવાના છે અને આજે સવારે 9 વાગે આ બેઠક શરૂ કરવામાં આવશે. સંપૂર્ણ બેઠક આશરે 3 વાગ્યા સુધી ચાલશે અને પછી બપોરનું ભોજન પણ મુખ્યમંત્રીઓ સાથે જ પીએમ કરશે.