પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીના પ્રવાસ પર છે અને પોતાના કાર્યકાળમાં 27મી વખત તેઓ પોતાના સંસદીય ક્ષેત્રમાં પહોંચ્યા છે.
પીએમ મોદીના કાર્યક્રમમાં કાળા કપડાં વસ્ત્રોવાળા લોકોને નો એન્ટ્રી
લોકોના માસ્ક અને ટોપી પણ ઉતારી લેવામાં આવી
કાશીને 1,583 કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપી
પીએમ મોદીના કાર્યક્રમમાં કાળા કપડાં વસ્ત્રોવાળા લોકોને નો એન્ટ્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીના પ્રવાસ પર છે અને પોતાના કાર્યકાળમાં 27મી વખત તેઓ પોતાના સંસદીય ક્ષેત્રમાં પહોંચ્યા છે. વર્ષ 2022માં યુપીમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે પીએમ મોદીનો આજનો પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. જોકે તેમના સંબોધન પહેલા એક વિવાદ પણ સામે આવ્યો હતો.
લોકોના માસ્ક અને ટોપી પણ ઉતારી લેવામાં આવી
પીએમ મોદીના પ્રવાસને લઈને તંત્ર હાઇઅલર્ટ પર હતું અને સંબોધન સ્થળ પર કાળા કપડાં પહેરીને પહોંચવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આટલું જ નહીં કાળા શર્ટ વાળા લોકોને પણ એન્ટ્રી આપવામાં આવી નહીં. ત્યાં સુધી કે RSSના સ્વયંસેવકોની ટોપી પણ ઉતારી લેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોઈ વિરોધ ન કરી શકે તે માટે તંત્ર દ્વારા આ ખાસ તૈયારી કરવામાં આવી હતી. કાળા માસ્ક પણ ઉતારી લેવામાં આવ્યા હતા. પીએમ મોદીના કાર્યક્રમમાં આ પ્રકારના નિયમો ઘણા કાશીમાં ચર્ચાનો વિષય બન્યા છે.
કાશીને 1,583 કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપી
PM મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર કાશીને 1,583 કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપી છે. આ સાથે જ તેમણે B.H.U ગ્રાઉન્ડમાં લોકોને સંબોધિત કરતાં રાજ્યના CM યોગી આદિત્યનાથના વખાણ કર્યા હતા. છેલ્લા ઘણા દિવસોમાં નેતૃત્વ પરિવર્તન અને યુપી સરકારમાં ઘણા મોટા ફેરબદલ થશે તે વાતને ખોટી સાબિત કરી દીધી છે. CM યોગીને તેમણે એકદમ કર્મઠ અને લોકપ્રિય નેતા બનાવતા તેમણે કોરોના સંકટથી લડવામાં યોગી સરકાર દ્વારા કરેલ કામના ઘણા વખાણ કર્યા છે.