પીએમ લગભગ 8 મહિના બાદ પોતાના સાંસદીય વિસ્તારમાં પ્રવાસ કરી રહ્યા છે. જાણો શું છે તેમના કાર્યક્રમ.
રુદ્રાક્ષ પર લહેરાવા લાગ્યા ભારત- જાપાનના ધ્વજ
ત્રણ કુંતલ ગલગોટાના ફુલથી સજાવાયું છે સ્ટેજ અને ટેન્ટ
આજે મેગા ડાયવર્ઝન, આ માર્ગ પર ધ્યાન આપો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે વારાણસીના પ્રવાસ પર આવી રહ્યા છે. પોતાના સાંસદીય વિસ્તારમાં લગભગ 8 મહિના બાદ તેમનો પ્રવાસ થઈ રહ્યો છે. તે લગભગ 5 કલાકનો સમય અહીં વિતાવશે અને આંતરરાષ્ટ્રીય સેન્ટર રુદ્રાક્ષ સહિત 1474 કરોડ રુપિયાની યોજનાઓનું લોકાર્પણ તથા શિલાન્સાસ કરશે. પીએમ મોદીના વધું શુ કાર્યક્રમ છે તે ક્યાં કેટલો સમય વિતાવશે અને ક્યાં શુ ભેટ સોગાદ આપશે તેની વિગતો આ પ્રમાણે છે.
Key projects that would be inaugurated in Kashi include:
આંતરરાષ્ટ્રીય સહયોગ તથા સમ્મેલન કેન્દ્ર રુદ્રાક્ષનું પીએમ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. રુદ્રાક્ષમાં બુધવારે સારી તૈયારીઓ પુરી કરી લીધી છે. જાપાની સ્ટાઈલમાં છત્રીઓ લગાવાઈ છે. રુદ્રાક્ષમાં જાપાની સંસ્કૃતિની ઝલક જોવા મળી છે. રુદ્રાક્ષમાં એલ્યુમિનિયમના 108 રુદ્રાક્ષ અને સ્ટીલનું શિવલિંગ આકારનો મુખ્ય ભાગ છે. જેમાં સુરક્ષા માટે આધુનિક સેન્સર લગાવવામાં આવ્યા છે.
I am delighted to be inaugurating a convention centre Rudraksh in Varanasi. Constructed with Japanese assistance, this state-of-the-art centre will make Varanasi an attractive destination for conferences thus drawing more tourists and businesspersons to the city. pic.twitter.com/ExoBLO6sp3
ત્રણ કુંતલ ગલગોટાના ફુલથી સજાવાયું છે સ્ટેજ અને ટેન્ટ
આઈઆઈટી બીએચયૂના રાજપૂતાના ગ્રાઉન્ડમાં ફુલોથી સજાવાયુ છે પીએમના મંત્ર અને પંડાલની ત્રણ કુંડલ ગલગોટાના ફુલથી સજાવવામાં આવ્યું છે. આ માટે દિલ્હીના કારિગર બોલાવાયા હતા. અહીં રંગોળી બનાવવામાં આવશે.
કાવડ યાત્રા- પોલીસ બનાવી રહી છે નવો રુટ અને ડાયવર્ઝન પ્લાન
પીએમના કાર્યક્રમમાં ધ્યાનમાં રાખી ગુરુવારે મેગા ડાયવર્ઝન લાગૂ કરવામાં આવશે. પીએમના આગમન માટે 15 મિનિટ પહેલા સંબંધિત માર્ગો પર આવન જાવન રોકી દેવામાં આવશે.
In the past few years, the Centre and UP Government have done extensive work in the health sector. As a part of these efforts, the 100 bed MCH wing in BHU will be inaugurated. The project will make quality healthcare easily accessible to the people of Kashi and surrounding areas. pic.twitter.com/CnUEpRAVMx
પ્રધાનમંત્રી સવારે 11 વાગે મંચ પર પહોંચશે. અહીં તેમની સાથે રાજ્યપાલ આનંદી બેન પટેલ, કેબિનેટ મંત્રી અનિલ રાજભર અને રાજ્ય મંત્રી રવિન્દ્ર જાયસવાલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યમંત્રી નીલકંઠ તિવારી તથા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહ રહેશે. સીએમ સ્વાગત ભાષણ આપશે અને પીએમ રિમોટ કન્ટ્રોલથી પરિયોજનાઓનું લોકાપર્ણ તથા શિલાન્યાસ કરશે. આ બાદ તે પરિયોજનાઓમાં મળનારા લાભ પર 3 મિનિટના વીડિયો ક્લિપનું પ્રસારણ થશે.
પીએમ બપોરે સવા 12 વાગે એમસીએચ વિંગ ભવન પહોંચશે. આ પીએમની સાથે રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ બનશે. સૌથી પહેલા પીએમ હોસ્પિટલના ભૂતલ અને પહેલા તળ પર પીડિયાટ્રિક વોર્ડના નિરિક્ષણ તથા સુવિધાઓનું અવલોકન કરશે. બાદમાં રજિસ્ટ્રેશન એરિયામાં ભ્રમણ કરશે. એ બાદ તે ડીએમ, આઈએમએસના ડિરેક્ટર, સીએમઓ, આઈએમએના ઉપાધ્યક્ષ સહિત અન્ય ડોક્ટરો સાથે સંવાદ કરશે.
પીએમ રુદ્રાક્ષ ભવનમાં બપોરે પોણા 2 વાગે આગમન કરશે. આ પહેલા તે ભવનની બહાર પાર્કમાં રુદ્રાક્ષનો છોડ લગાવશે. બાદમાં રુદ્રાક્ષના શિલાપટ્ટનુ અનાવરણ કરશે. તે પ્રદર્શન તથા ગેલેરીમાં સુવિધાઓનું નિરિક્ષણ કરશે. આ બાદ પરિયોજનાની ક્લિપ બતાવવામાં આવશે. એ બાદ જાપાનના પીએમનું રેકોર્ડે ભાષણનું પ્રસારણ કરાશે. અંતમાં પીએમ લોકોને સંબોધિત કરશે.