પીએમ મોદી આજે વહેલી સવારે દિલ્હી સ્થિત ગુરુદ્વારા રકાબગંજ સાહિબ પહોંચ્યા હતા. અહિયાં તેમણે ગુરુ ટેગબહાદુરને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીની આ મુલાકાત અચાનક જ નક્કી કરવામાં આવી હતી અને ગુરુદ્વારા પીએમ મોદીએ માથું ટેકવ્યું.
નોંધનીય છે કે પીએમ મોદી જ્યારે ગુરુદ્વારા પહોંચ્યા ત્યારે કોઈ જ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. કોઈ જ પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવ્યો ન હતો અને ટ્રાફિક ડાયવર્ઝન પણ ન હતું અપાયું. કડકડતી ઠંડીમાં સામાન્ય વ્યક્તિની જેમ જ વહેલી સવારે આ ગુરુદ્વારા શીશ નમાવવા પહોંચી ગયા હતા. ગુરુદ્વારામાં પીએમ મોદીની સુરક્ષા માટે કોઈ જ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.
નોંધનીય છે કે આ ગુરુદ્વારા શીખ સમાજનું પવિત્ર સ્થળ માનવામાં આવે છે અને તે સંસદ ભવનની નજીકમાં જ આવેલું છે. વર્ષ 1783માં આ ગુરુદ્વારાનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
આ તે જ સ્થાન છે જ્યાં શીખોના નવમા ગુરુ તેગ બહાદુરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અહિયાં તેમના શીશવિહીન શરીરના તેમના શિષ્ય લખી શાહ બંજારા અને તેમના દીકરાએ અંતિમ સંસ્કાર કર્યા હતા. નોંધનીય છે કે મુઘલ શાસક ઔરંગઝેબે દિલ્હીના ચાંદની ચોકમાં જ ગુરુ તેગ બહાદુરનું માથું વાઢી નંખાવ્યું હતું.