વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ત્રણ દેશોના પ્રવાસના બે ચરણ પૂર્ણ કર્યા બાદ શનિવારે યૂએઇથી બહેરીન પહોંચ્યા. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરાયું. નરેન્દ્ર મોદી બહેરીન જવા વાળા પહેલા ભારતીય વડાપ્રધાન છે. એમણે બહેરીનના નેશનલ સ્ટેડિયમમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા.
બહેરીન પહોંચેલા પીએમ મોદીનું ભારતીય સમુદાયના લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બહેરીનના નેશનલ સ્ટેડિયમમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા.
મારી સાથે ચાલનારો મારો મિત્ર ચાલ્યો ગયો
બહેરીનની ઘરતી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બહેરીનમાં ભારતીય સમુદાયને સંબોધન કરતી વખતે પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આજ મારી અંદર અત્યંત દર્દ છૂપાયેલું છે. હું આટલો દુર છું અને મારો મિત્ર અરૂણ ચાલ્યો ગયો. પ્રધાનમંત્રી મોદીએ ઓગસ્ટ મહિનાને યાદ કરતા કહ્યું કે, થોડા દિવસ પહેલા બહેન સુષમા ચાલ્યા ગયા, આજે મારી સાથે ચાલનારો મિત્ર ચાલ્યો ગયો.
ભારતના સ્પેશ મિશનની દુનિયામાં ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતના સ્પેશ મિશનની દુનિયામાં ચર્ચા થઇ રહી છે. ભારતના ચંદ્રયાન મિશનથી દુનિયા હેરાન છે. ચંદ્રયાન 7 સપ્ટેમ્બરે ચંદ્રમાની સપાટી પર ઉતરશે. પીએમ મોદીએ કહ્યું કે આજે ભારતનો દરેક પરિવાર બેન્કિગ સેવા સાથે જોડાયેલા છે. દુનિયામાં સૌથી સસ્તું ઇન્ટરનેટ ડેટા ભારતમાં છે. BHIM એપ, UPI અને જનધન ખાતા જેવી સુવિધાઓએ ભારતમાં બેન્કિગને સરળ બનાવી દીધી છે. ભારતમાં મોટાભાગની સર્વિસિઝની ડિલિવરી ડીજીટલ સ્વરૂપે થાય તેની કોશિશ કરાઇ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારો હેતુ પાંચ હજાર વર્ષ જુના સંબંધોને તાજગી આપવાનો છે. પીએમ મોદીએ કહ્યું કે બહેરીનના ભારતીયને મળવું મારો હેતુ, હું બહેરીનમાં ભારતીય સમુદાયને ન્યૂ ઇન્ડિયા માટે આમંત્રિત કરવા આવ્યો છું.
આપણો સંબંધ સરકારોનો નહીં પરંતુ સંસ્કારોનો પણ છે
પીએમ મોદીએ કહ્યું કે બહેરીનના વિકાસમાં ભારતીયોનું મોટું યોગદાન રહ્યું છે. બહેરીનની સરકાર ભારતીયોના વખાણ કરતી હોય છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આપણો સંબંધ માત્ર સરકારોનો નહીં સંસ્કારોનો પણ રહ્યો છે અને સમાજનો પણ રહ્યો છે.
પીએમ મોદીએ બહેરીનના પ્રિન્સ ખલીફા બિન સલમાન અલ ખલીફાની મુલાકાત કરી. આ દરમિયાન બંને નેતાઓએ બંને દેશો વચ્ચે દ્રિપક્ષીય સંબંધોના પૂર્ણ સ્પેક્ટ્રમને પ્રોત્સાહન આપવા માટે પોતાની સહમતિ દર્શાવી.
Manama: Prime Minister Narendra Modi met Prince Khalifa Bin Salman Al Khalifa, the Prime Minister of Bahrain, today. Both leaders expressed their commitment to giving a boost to the entire spectrum of bilateral relations between the two countries. pic.twitter.com/UOrJ0vIGZb
બહેરીન પહોંચેલા પીએમ મોદીનું ભારતીત સમુદાયના લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બહેરીનમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા કહ્યું કે આપનો પ્રેમ મેળવીને અભિભૂત છું. સ્વાગતથી એવું લાગી રહ્યું છે કે હું ભારતમાં જ છું. નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું કે પીએમ તરીકે બહેરીન આવવા મળ્યું. ભારતની વિવિધતા તેની શક્તિ છે.
પીએમ મોદી બોલ્યા- શ્રીનાથજીના મંદિર જઇને સમૃદ્ધિ અને શાંતિની પ્રાર્થના કરીશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારું સૌભાગ્ય છે કે આવતી કાલે હું શ્રીનાથજીના મંદિરે જઇને આપ સૌની તરફથી આપના યજમાન દેશની સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરીશ. આ અહીંનું સૌથી જુનું મંદિર છે. સૌભાગ્યની વાત છે કે આ મંદિરના પુનવિકાસનું કામ પણ ઔપચારિક રૂપે શરૂ કરવામાં આવશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર છે. વિશ્વભરમાં ફેલાયેલા ભારતીય સમુદાયને મારા તરફથી શ્રીકૃષ્ણ જન્મોત્સવની અનેક શુભકામના. પીએમ મોદીએ કહ્યું કે, મને જણાવાયું છે કે ગલ્ફ ક્ષેત્રમાં આ અવસરે કૃષ્ણ કથા સાંભળવાની પરંપરા આજે પણ છે. ભારતીયોનું કૃષ્ણ ભગવાન પ્રતિ વિશેષ પ્રેમ છે.