પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેટલાક ઉત્સાહી સમર્થકોને ફીટકાર લગાવી છે. તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, કેટલાક લોકો એવી મૂહીમ ચલાવી રહ્યા છે કે, 5 મિનિટ ઉભા રહીને મોદીને સન્માનિત કરવામાં આવે, પહેલી નજરમાં તો તે મોદીને વિવાદમાં ઢસડી જવા જેવી બાબત લાગી રહી છે.
કોરોના સંકટ સુધી એક ગરીબ પરિવારની જવાબદારી લેવાની કરી અપીલ
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે કદાચ તમને જો કોઈ સદભાવના છે, તેમ છતાં હું આગ્રહ રાખું છું કે જો તમારા મનમાં ખરેખર ખૂબ જ પ્રેમ હોય અને મોદીને સન્માનિત જ કરવા હોય, તો કોઈ એક ગરીબ પરિવારની જવાબદારી લો, જ્યાં સુધી ત્યાં કોરોના વાયરસનું સંકટ છે. મારા માટે આનાથી મોટું સન્માન કોઈ જ ન હોઈ શકે.
मेरे ध्यान में लाया गया है कि कुछ लोग यह मुहिम चला रहे हैं कि 5 मिनट खड़े रहकर मोदी को सम्मानित किया जाए। पहली नजर में तो यह मोदी को विवादों में घसीटने की कोई खुराफात लगती है।
મોદીનું સન્માન કરવું હોય તો કોરોના સંકટ ટળે નહીં ત્યાં સુધી એક પરિવારની જવાબદારી લો
આપને જણાવી દઇએ કે, કેટલાક લોકો આવતા રવિવારે એટલે કે 12 એપ્રિલના રોજ 5 મિનિટ ઉભા રહીને પીએમ મોદીનું સન્માન કરવા માટે સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવી રહ્યા છે. આ અભિયાનને લઇને લોકો ટ્વીટર-ફેસબુક પર મેસેજ શેર કરી રહ્યાં છે. જો કે પ્રધાનમંત્રીની અપીલ બાદ આવા અનેક સંદેશાઓ કાઢી નાખવામાં આવ્યા છે.
हो सकता है कि यह किसी की सदिच्छा हो, तो भी मेरा आग्रह है कि यदि सचमुच में आपके मन में इतना प्यार है और मोदी को सम्मानित ही करना है तो एक गरीब परिवार की जिम्मेदारी कम से कम तब तक उठाइए, जब तक कोरोना वायरस का संकट है। मेरे लिए इससे बड़ा सम्मान कोई हो ही नहीं सकता।
પીએમ મોદીએ આ અભિયાનને ખોટું ગણાવ્યું હતું અને કહ્યું છે કે જો કોઈ મને સન્માન આપવા માંગે છે ત્યાં સુધી કોરોના વાયરસનું સંકટ છે ત્યાં સુધી કોઈ ગરીબ પરિવારની જવાબદારી લેજો, તે મારા માટે મોટા સન્માનની બાબત હશે. પીએમ મોદીએ કહ્યું કે 5 મિનિટ સુધી ઉભા રહેવાની મૂહિમ ખોટી છે.