પ્રધાનમંત્રીએ કહ્યું કે ઈમરજન્સીના એ કાળા દિવસોને ક્યારેય ભુલી નહીં શકાય.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈમરજન્સીની વરસી પર કર્યુ ટ્વીટ
ટ્વીટ કરી કોંગ્રેસ પર સાધ્યું નિશાન
ઈમરજન્સીના દિવસોને કાળા દિવસો ગણાવ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈમરજન્સીની વરસી પર ટ્વીટ કરતા કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ઈમરજન્સીના એ કાળા દિવસોને ક્યારેય ભુલી નહીં શકાય. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, "ઈમરજન્સીના કાળા દિવસોને ક્યારેય ભુલી નહીં શકાય. 1975થી 1977 વખતે આપણા દેશે જોયું કે કયા પ્રકારે સંસ્થાઓનો વિનાશ કરવામાં આવ્યો." તેની સાથે જ પીએમ મોદીએ લખ્યું કે આવો આપણે સંકલ્પ કરીએ કે ભારતની લોકતાંત્રિક ભાવનાઓને વધારે મજબૂત બનાવી રાખવા માટે દરેક સંભવ પ્રયત્નો કરીએ. અને સંવિધાનમાં નક્કી કરેલા મૂલ્યો અનુસાર તે કરીએ.
The #DarkDaysOfEmergency can never be forgotten. The period from 1975 to 1977 witnessed a systematic destruction of institutions.
Let us pledge to do everything possible to strengthen India’s democratic spirit, and live up to the values enshrined in our Constitution.
બીજેપીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની લિંક શેર કરી
તેની સાથે જ પીએમ મોદીએ ટ્વીટમાં બીજેપી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની એક લિંક પણ શેર કરી છે. આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં તસ્વીરો દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે ઈમરજન્સી સમયે ગુરુદત્તની ફિલ્મો, કિશોર કુમારના ગીતો પર પણ બેન લગાવી દેવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે 25 જૂન 1975માં પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીએ દેશમાં ઈમરજન્સી લાગુ કરી હતી. તે સમયે વિપક્ષના તમામ નેતાઓને જેલમાં પુરી દેવામાં આવ્યા હતા અને પ્રેસની સ્વતંત્રતા પર પણ અંકુશ લગાવવામાં આવ્યો હતો. બીજેપી સહિત તમામ કોંગ્રેસ સિવાયના પક્ષો ઘણી વખત ઈમરજન્સીને લઈને કોંગ્રેસ પર હુમલો બોલે છે.
This is how Congress trampled over our democratic ethos. We remember all those greats who resisted the Emergency and protected Indian democracy. #DarkDaysOfEmergencyhttps://t.co/PxQwYG5w1w
પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ લાગુ કરી હતી ઈમરજન્સી
પૂર્વ રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલી અહમદે પીએમ ઈન્દિરા ગાંધીની સિફારિશ પર 25 જૂન, 1975એ આખા દેશમાં ઈમરજન્સી લાગુ કરવાનું એલાન કર્યું હતું. જે 21 માર્ચ 1977 સુધી લાગુ રહી હતી.