બંગાળના કાંથીની ચૂંટણી રેલીમાં ભાજપના એક કાર્યકર પીએમ મોદીના ચરણસ્પર્શ કરવાની કોશિશ કરી ત્યારે પીએમ મોદીએ પણ કાર્યકરને ઝુકીને પ્રણામ કર્યાં
બંગાળના કાંથીની ચૂંટણી રેલીમાં મજેદાર ઘટના
ભાજપના કાર્યકરે પીએમ મોદીના ચરણસ્પર્શ કરવાનો કર્યો પ્રયાસ
પીએમ મોદી પણ કાર્યકરને ઝુકીને ચરણસ્પર્શ કર્યાં
ભાજપના એક કાર્યકર ચરણસ્પર્શ કરવા પીએમ મોદી તરફ આગળ વધ્યાં પરંતુ અચાનક જ પીએમ મોદીના ધ્યાનમાં આ વાત આવી જતા તેઓ પણ ખુરશી પર ઉઠીને કાર્યકરને ઝુકીને પ્રણામ કર્યું અને તેમના ચરણસ્પર્શ કર્યાં. ભાજપે આ વીડિયોને શેર કરીને તેને સંસ્કાર ગણાવ્યાં છે. પાર્ટીના સત્તાવાર હેન્ડલ પર લખાયું કે ભાજપા એક એવું સંસ્કાર સંગઠન છે જ્યાં કાર્યકરોમાં એકબીજા પ્રત્યે સમાન સંસ્કારનો ભાવ હોય છે.
भाजपा एक ऐसा सुसंस्कृत संगठन है, जहां कार्यकर्ताओं में एक-दूसरे के प्रति समान संस्कार का भाव रहता है।
કાંથીમાં જનસભાને સંબોધિત કરવા પીએમ મોદી મંચ પર પહોંચ્યા. ત્યાર બાદ તેમણે ત્યાં હાજર નેતાઓ અને લોકોનું હાથ હલાવીને અભિવાદન કર્યું. પછી ખુરશી પર બેઠા. આ દરમિયાન ગમછો પહેરેલા એક કાર્યકર પીએમ મોદી તરફ હાથ જોડીને આગળ આવ્યાં. બીજી તરફ પીએમ મોદીએ પણ ઊભા થઈને નમસ્કાર કર્યાં. મોદી જેવા બેસવા ગયા કે તરત જ કાર્યકર તેમના ચરણસ્પર્શ કરવા ઝૂક્યા, મોદી પણ ઊભા થઈને તેમને હાથથી ઊભા કરવાની કોશિશ કરી અને ત્યાર બાદ તેમના ચરણસ્પર્શ કરી લીધા.
દીદીના રાજમાં માત્ર હિંસાના સમાચાર
પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે દીદી આજે બંગાળ પૂછી રહ્યું છે કે અમ્ફાનની રાહત કોણે લૂંટી? ગરીબોના ચોખા કોણે લૂંટયા? આજે લોકો તૂટેલી છતની નીચે રહેવા માટે મજબૂર છે તે લોકો તમારાથી સવાલ કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે દીદીના રાજમાં અહિયાં હિંસા અને બોમ્બ ધમાકાઓના જ સમાચાર સામે આવી રહ્યા છે. આખા આખા ઘર ઉડાવી દેવામાં આવે છે અને મમતાની સરકાર માત્રને માત્ર જોઈ રહે છે. આ સ્થિતિને બદલવી પડશે. બંગાળમાં શાંતિ જોઈએ તો બોમ્બ અને બંદૂકથી મુક્તિ જરૂરી છે. પીએમ મોદીએ કહ્યું કે મમતા દીદીને તમે 10 વર્ષ કામ કરવાનો મોકો આપ્યો. તેમણે તમારી વચ્ચે આવવું જોઈએ અને હિસાબ આપવું જોઈએ. પરંતુ દીદી હિસાબ નથી આપી રહ્યા તે ગુસ્સો કરી રહ્યા છે અને ગાળો આપી રહ્યા છે.