આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સ્વર્ગસ્થ સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરના પરિવારને ટાંકીને એક એવી વાત કહી જેના વિશે હજુ પણ ઘણા લોકો નથી જાણતા.
લતા મંગેશકરના ભાઈની વાર્તા સંભળાવી
પીએમ મોદીએ બોલવાની આઝાદી પર પણ કોંગ્રેસને ઘેરી હતી. તેમણે કહ્યું, 'લતા મંગેશકરના નાના ભાઈ પંડિત હૃદયનાથને ઓલ ઈન્ડિયા રેડિયોમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમનો ગુનો એ હતો કે તેમણે રેડિયો પર વીર સાવરકરની દેશભક્તિની કવિતા રજૂ કરી હતી. તેમને નોકરી મળ્યાના 8 દિવસમાં બરતરફ કરવામાં આવ્યા હતા.
બોલવાની આઝાદીના સવાલ પર કોંગ્રેસને આપ્યો સણસણતો જવાબ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઓ પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીના રાજમાં સજરૂહ સુલ્તાનપુરી અને પ્રોફેસર ધર્મપાલ બંન્નેએ નહેરુંની આલોચના કરી તો તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
કિશોર કુમારના ગીતો પર લાદ્યો હતો પ્રતિબંધ
તો ઈમરજન્સી દરમિયાન જ્યારે કિશોર કુમાર ઈન્દિરા ગાંધીની સામે ન ઝુક્યા તો ઓલ ઈન્ડિયા રૅડિયો પરથી તેમના ગીતોનું પ્રસારણ અટકાવી દેવામાં આવ્યું હતું. આપણે લોકો જાણીએ છીએ કે, જ્યારે લોકો એક પરિવાર સાથે સહમત નથી થતાં તો અભિવ્યક્તિની આઝાદી પર કેવી રીતે પાબંધી લાદી દેતા હોય છે.
अगर कांग्रेस न होती तो क्या होता...
परिवारवाद न होता
आपातकाल का कलंक न होता
भ्रष्टाचार न होता
जातिवाद-क्षेत्रवाद की गहरी खाई न होती
सिखों का नरसंहार न होता
सालों-साल पंजाब आतंकवाद की आग में न जलता
कश्मीरी पंडितों को कश्मीर न छोड़ना पड़ता
સદનમાં કહ્યું હતું કે, કોંગ્રેસે ભારતનો પાયો નાખ્યો, અમુક લોકો એવું માને છે કે, હિન્દુસ્તાન 1947માં જન્મ્યુ. આ માનસિકતાના કારણે જ તકલીફો આવી અને જે લોકોને 50 વર્ષ કામ કરવાનો મોકો મળ્યો તેમણે કંઈ કર્યું નહીં. 1975માં લોકતંત્રનું ગળુ દબાવવાનું કામ કરનારાઓને લોકતંત્ર પર બોલવું જોઈએ નહીં. કોંગ્રેસે ડાયનેસ્ટીથી આગળ વિચાર્યું જ નથી. ભારતના લોકતંત્રને સૌથી મોટો ખતરો છે, પરિવારવાદની પાર્ટીઓથી. એ માનવું પડશે. પાર્ટીમાં પણ જ્યારે કોઈ સર્વૌપરિ થઈ જાય છે, તો સૌથી પહેલા કૈજ્યુલ્ટી ટેલેન્ટની થાય છે.
અમે દેશના ગરીબોની રક્ષા કરીશું
રાજ્યસભામાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, મને નવાઈ લાગે છે કે, અમુક માનનીય સભ્યોએ કહ્યું કે, ભારતનું રસીકરણ અભિયાન કોઈ મોટી વાત નથી. સાથે જ હું તમામને ભરોસો અપાવા માગુ છુ કે, જ્યાં સુધી મહામારી છે, અમે દેશના ગરીબોની રક્ષા કરીશું.
સંબોધનમાં મહત્વના મુદ્દાઓ
પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે, કોરોના એક વૈશ્વિક મહામારી છે અને છેલ્લા 100 વર્ષમાં માનવ જાતિએ આટલું મોટુ સંક્ટ જોયું નથી. હજૂ પણ આ સંકટ નવું નવું રૂપ લઈને આફત બની રહ્યું છે. સમગ્ર દુનિયા તેની સામે ઝઝૂમી રહી છે. પીએમ મોદીએ કોરોના વેક્સિનેશન પ્રોગ્રામના વખાણ કરતા કહ્યું કે, આજે સમગ્ર વિશ્વમાં ભારતના કામના વખાણ થઈ રહ્યા છે .
ગરીબોને રાશન આપવાનું કામ કરવામાં આવ્યું. આ કોરોનાકાળમાં 80 કરોડથી વધારે લોકો મફક રાશન આપીને દુનિયાની સામે મજબૂત ઉદાહરણ રજૂ કર્યું છે. ગરીબ લોકોને ઘરનું ઘર આપવાનું કામ અમારી સરકાર કરે છે .
કોરોના કાળમાં પાંચ કરોડ ગરીબ પરિવારને નળથી જળ પહોંચાડવાનું કામ કરવામા આવ્યું છે.
ખેડૂતોના પાકને ટેકાભાવે ખરીદી કરવામાં આવી છે.
સરકારે નક્કી કર્યું છે કે, 200 કરોડ સુધીના ટેન્ડર બહારના લોકોને આપવામાં આવશે નહીં. જેનાથી દેશના MSME સેટ્કરને પણ મોટો ફાયદો મળશે.