મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની મતદાન તારીખ નજીક આવતાની સાથે રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. બુલઢાણામાં એક જનસભાને સંબોધન કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કાશ્મીર મુદ્દે અમેરિકા સહિત કોઇપણ દેશની મધ્યસ્થતા સ્વીકાર્ય નથી.
અમેરિકા સહિત અન્ય દેશ કાશ્મીર મામલે દખલ ન દે
કાશ્મીર અમારો આંતરિક મામલો છે, કોઇ હસ્તક્ષેપ ન કરે
અમિત શાહનો કોંગ્રેસ-એનસપી પર પરિવારવાદને લઇને પ્રહાર
અમિત શાહનું કાશ્મીર મુદ્દે નિવેદન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે કાશ્મીર મુદ્દે કોઇ અન્ય દેશનો હસ્તક્ષેપ ઇચ્છતાં નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ હોય કે બીજા કોઇ દેશના, પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કાશ્મીર અમારો આંતરિક મામલો છે, તેમાં કોઇ હસ્તક્ષેપ ન કરે.
પરિવારવાદને લઇને વિપક્ષ પર અમિત શાહનો પ્રહાર
અમિત શાહે કહ્યું કે ભાજપે વિદર્ભ અને મહારાષ્ટ્રના વિકાસ માટે કામ કર્યું છે. જ્યારે કોંગ્રેસ અને એનસીપી પોતાના પરિવાર માટે કામ કર્યું છે. શરદ પવાર, સુપ્રિયા સુલે, અજીત પવાર અને તેના દિકરા બધા મેદાનમાં છે.
અમિત શાહે કેન્દ્ર અને રાજ્ય સરકારના કાર્યની પ્રશંસા કરી
અમિત શાહે ભ્રષ્ટાચાર કોંગ્રેસ અને એનસીપીનો સંસ્કાર છે. પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ દેવેન્દ્ર ફડણવીસની સરકાર પર વિરોધીઓ પણ ભ્રષ્ટાચારનો એક પણ આરોપ લગાવી શકતા નથી.
કલમ 370ને લઇને કોંગ્રેસ-એનસીપી પર સાધ્યું નિશાન
કલમ 370 પર બોલતાં અમિત શાહે કહ્યું કે જ્યારે આ મુદ્દે ચર્ચા કરવામાં આવતી હતી ત્યારે કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ કહેતા હતા કે 370 દૂર થશે તો કાશ્મીરમાં લોહીની નદી જોવા મળશે. 70 વર્ષમાં આતંકવાદના કારણે કાશ્મીરમાં 40 હજારથી વધારે લોકોના મોત થયા છે. તેમ છતાં કોંગ્રેસ અને એનસીપી પોતાની મતબેંકના રાજકારણ માટે 370 કલમ હટાવવાને લઇને વિરોધ કરતાં રહ્યાં. ભાજપ માટે દેશની સુરક્ષા અમારી સરકાર કરતાં વધારે મહત્વપૂર્ણ છે, જેના કારણે અમે 370 કલમ હટાવી.
Union Home Minister Amit Shah in Maharashtra: In all these yrs our stand has been that we don't want interference of any other country on Kashmir issue. Be it the US President or anyone else, Modi ji said in clear words that Kashmir is our internal matter, don't interfere in it. pic.twitter.com/1KbBwCf3PS