પીએમ નરેન્દ્ર મોદી 2015માં બ્રિટન ગયા હતા ત્યારે ડેવિડ કૈમેરૂને કહ્યું હતું કે, ટૂંક સમયમાં ભારતીય મૂળનો વ્યક્તિ 10, ડાઉનિંગ સ્ટ્રીટ પહોંચી જશે
બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ડેવિડ કૈમેરૂનની ભવિષ્ણવાણી
"ભારતીય મૂળનો વ્યક્તિ ડાઉનિંગ સ્ટ્રીટ પહોંચી જશે"
"એક દિવસ બ્રિટનના વડાપ્રધાન પણ ભારતીય હશે"
બ્રિટનના નવા પીએમ બનેલા ઋષિ સુનકના ભારતીય કનેક્શનને લઈને ઘણી બધી ચર્ચા વહેતી થઈ છે. સોથો સાથ ભારતની રાજનીતિમાં પણ ગરમોવો પણ થયો છે. ભારતીય વંશના આ મહત્વપૂર્ણ પદ સુધી પહોંચવા માટે લોકો તેમને અભિનંદન પાઠવી રહ્યાં છે. આ બધી ઘટનાક્રમ વચ્ચે તેમને ખબર નહી હોય કે આ બાબતની ભવિષ્યવાણી સાત વર્ષ પહેલા થઈ ગઈ હતી.
ડેવિડ કૈમેરૂનની ભવિષ્યવાણી
બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ડેવિડ કૈમેરૂને વર્ષ 2015માં જ આની ભવિષ્યવાણી કરી હતી. તેમણે પીએમ નરેન્દ્ર મોદી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ટૂંક સમયમાં ભારતીય મૂળનો વ્યક્તિ 10, ડાઉનિંગ સ્ટ્રીટ પર પહોંચી જશે. તમને જણાવી દઈએ કે બ્રિટનના વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન 10, ડાઉનિંગ સ્ટ્રીટ કહેવાય છે. હવે આ ભવિષ્યવાણી સાચી પડી છે અને ઋષિ સુનકને આ તક મળી છે. એ જ ઋષિ સુનક જે બે મહિના પહેલા પીએમ પદની રેસમાં લિઝ ટ્રસથી પાછળ રહી ગયા હતા.
PM નરેન્દ્ર મોદીને ડેવિડે જણાવી હતી આ વાત
જ્યારે પીએમ નરેન્દ્ર મોદી 2015માં બ્રિટન ગયા હતા, ત્યારે તેઓ વેમ્બલી સ્ટેડિયમમાં ભારતીય સમુદાય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં તત્કાલિન બ્રિટિશ પીએમ ડેવિડ કૈમરૂને પણ હાજર હતા. ત્યારે તેમણે પીએમ નરેન્દ્ર મોદીને કહ્યું કે તે એ દિવસ દૂર નથી જ્યારે બ્રિટનના વડાપ્રધાન પણ ભારતીયવંશી હશે. ઋષિ સુનક છેલ્લી બે સદીમાં બ્રિટનના સૌથી યુવા પીએમ છે, જેમની ઉંમર માત્ર 42 વર્ષની છે. તેમના દાદા-દાદી ભારતના પંજાબ પ્રાંતના ગુજરાંવાલાના રહેવાસી હતા. તેમના દાદા પહેલા નૈરોબીમાં સ્થાયી થયા હતા અને ત્યાંથી બ્રિટન ગયાં હતા.
સુનકે કેબિનેટમાં કર્યા મોટા ફેરફાર
ઋષિ સુનકે વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળતાની સાથે જ કેબિનેટમાં મોટો ફેરફાર કરીને ઘણા નેતાઓને હટાવી દીધા છે. આ ઉપરાંત તેમણે દેશવાસીઓને આવનારા સમયમાં કઠિન નિર્ણયો માટે તૈયાર રહેવા પણ કહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઋષિ સુનક બ્રિટનના નાણા મંત્રી પણ રહી ચૂક્યા છે. કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા ઋષિ સુનકે એવા સમયે બ્રિટનની સત્તા સંભાળી છે જ્યારે તેમનો દેશ આર્થિક સંકટના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે. બ્રેગ્ઝિટ અને પછી કોરોના સંકટએ આ પડકારોમાં આપ્યા છે. આવી સ્થિતિમાં ઋષિ સુનકની PM તરીકેનો દોર સરળ પણ નથી