વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિવંગત નેતા અરૂણ જેટલીના નિવાસ સ્થાને પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવંગત નેતા અરૂણ જેટલીના પરિવારજનોને સાંત્વના પાઠવી. ઉલ્લેખનીય છે કે એઇમ્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અરૂણ જેટલીનું નિધન થયું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગૃહ મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ અરૂણ જેટલીના નિવાસ સ્થાને પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ અમિત શાહે અરૂણ જેટલીના નિવાસ સ્થાને તેમજ ભાજપના કાર્યાલય અને નિગમબોધ ઘાટ પર શ્રદ્ધાંજલિ આપી હતી.
Delhi: Prime Minister Narendra Modi arrives at the residence of late former Union Finance Minister #ArunJaitley to pay tributes to him and meet his family. pic.twitter.com/VF64seZQs0
ઉલ્લેખનીય છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીનું લાંબી બિમારી બાદ 23 ઓગસ્ટના રોજ નિધન થયું હતું. અરૂણ જેટલીના નિધન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશના પ્રવાસે હતા. પીએમ મોદીએ સંયુક્ત અરબ અમીરાત (UAE)થી અરૂણ જેટલીના પરિવાર સાથે ટેલિફોન પર વાત કરી હતી.
પીએમ મોદીએ અરૂણ જેટલીના પત્ની અને તેમના દિકરા રોહન સાથે વાત કરી હતી અને સંવેદના વ્યક્ત કરી હતી. અરૂણ જેટલીના પરિવારે પીએમ મોદીને અપીલ કરી હતી કે તેઓ તેમનો વિદેશ પ્રવાસ રદ્દ ન કરે. જેના કારણે પીએમ મોદી વિદેશ પ્રવાસ રદ્દ કરી પરત ફર્યા નહોતા.
પીએમ મોદી જ્યારે UAE પહોંચ્યા હતા ત્યારે તેમણે અરૂણ જેટલીને યાદ કરતાં કહ્યું હતું કે મારો મિત્ર આજે મને છોડીને ચાલ્યો ગયો. ભારતીય સમુદાયના લોકોને સંબોધન કરતાં પીએમ મોદી મંચ પર ભાવુક થઇ ગયા હતા અને પોતાના મિત્રને યાદ કર્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસ બાદ મંગળવારે ભારત પરત ફર્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત અરબ અમીરાત, બહેરીન અને ફ્રાંસના પ્રવાસે 22 ઓગસ્ટના રોજ રવાના થયા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસમાં G7 શિખર સંમેલનમાં ઉપસ્થિત રહ્યાં હતા.