પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિ મનાવી રહેલા દેશના કરોડો લોકોને અપીલ કરી છે કે તેઓ આગામી 21 દિવસ સુધી 9 ગરીબ પરિવારને ભરણપોષણ કરવાની જવાબદરી લે અને આજ ખરેખરની સેવા ગણાશે
નવરાત્રિ પર પીએમ મોદીએ કરી અપીલ
21 દિવસો સુધી 9 પરિવારની લો જવાબદારી
તકલીફોની ઉંમર માત્ર 21 દિવસ છે- પીએમ મોદી
.પીએમ મોદીએ આ અંગે આગળ કહ્યુ કે, આપણે ત્યાં કહેવાય છે કે સાંઇ ઇતના દિજીએ, જામે કુટુમ્બ સમાએ, મૈ ભી ભૂખા ના રહું, સાધુ ના ભૂખા જાએ. જેમની પાસે આવુ કરવાની શક્તિ છે તેઓ નવરાત્રિના પ્રતિ દિવસ 9 ગરીબ પરિવારોની મદદનો પ્રણ લે. જો આટલું પણ કરી શકીએ તો માતાની તેનાથી મોટી આરાધના બીજી શુ હોઇ શકે. તમારી આસપાસ જે પશુ છે તેમની પણ ચિંતા કરવી જોઇએ. લોકડાઉનના કારણે તેમની સામે પણ ભોજનનું સંકટ છે. તેમનું પણ ધ્યાન રાખો.
પીએમ મોદી જે સંકટમાંથી પસાર થઇ રહ્યો છે, જેમાં આપણે બધાને માં શૈલપુત્રીને આશીર્વાદની ખૂબ જ આવશ્યકતા છે. પીએમ મોદી કહ્યુ કે, આજે કોરોના વિરુદ્ઘ જે યુદ્ઘ દેશ લડી રહ્યો છે, તેમાં 21 દિવસ લાગશે. અમારો પ્રયાસ છે કે, 21 દિવસમાં આ જંગ જીતી જવાય. સંકટના આ સમયમાં કાશી જ માર્ગદર્શન કરી શકે છે, તમામ માટે ઉદાહરણ પ્રસ્તુક કરી શકે છે. મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં જીતવામાં આવ્યું હતું.